August 7, 2026
તાજા સમાચારદેશ

પંચ દશનમ જુના અખાડાના મહામંડલેશ્વર પાયલટ બાબાનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં થયું નિધન

પંચ દશનમ જુના અખાડાના મહામંડલેશ્વર પાયલટ બાબાનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા, પાયલટ બાબાનું અસલી નામ વિંગ કમાન્ડર કપિલ સિંહ હતું, તેમણે ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર તરીકે પણ સેવા આપી હતી. તેણે પાકિસ્તાન સામેના બે યુદ્ધમાં ફાઈટર જેટ પાઈલટની ભૂમિકા પણ ભજવી હતી.

તેમની લશ્કરી કારકિર્દી પછી, તેમણે સન્યાસ લીધો અને આધ્યાત્મિક જીવન અપનાવ્યું અને પંચ દશનમ જુના અખાડાના મહામંડલેશ્વર બન્યા. તેમની અંતિમ યાત્રા હરિદ્વારમાં થશે, જ્યાં તેમને સમાધિ આપવામાં આવશે. તેમના નિધનથી આધ્યાત્મિક અને સૈન્ય બંને વર્તુળોમાં શોકની લહેર છે.

તેમના નિધનના સમાચાર પાયલોટ બાબાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા છે. પોસ્ટમાં લખ્યું હતું- ‘ઓમ નમો નારાયણ. ભારે હ્રદય અને ઊંડા આદર સાથે, તમામ શિષ્યો અને ભક્તોને જણાવવામાં આવે છે કે આપણા આદરણીય ગુરુદેવ મહાયોગી પાયલોટ બાબાજીએ આજે મહાસમાધિ લીધી છે. ઘરમાં શાંતિથી પ્રાર્થના કરવાનો આ સમય છે. કૃપા કરીને કોઈપણ પ્રકારની અસ્વસ્થતા અથવા અરાજકતા ફેલાવશો નહીં. વધુ સૂચનાઓ માટે રાહ જુઓ. નમો નારાયણ

બિહારના સાસારામમાં જન્મેલા પાયલટ બાબાએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી મેળવી અને 1957માં ભારતીય વાયુસેનામાં જોડાયા. 1965ના યુદ્ધમાં તેમણે પાકિસ્તાની શહેરો પર નીચી ઉંચાઈ પર તેમના Gnat એરક્રાફ્ટ ઉડાડવા માટે ખ્યાતિ મેળવી હતી. 1971 ના યુદ્ધ પછી, તેમની કારકિર્દી કેટલાક કારણોસર સંકટમાં આવી, ત્યારબાદ તેમણે વાયુસેના છોડી દીધી અને 7 વર્ષ સુધી હિમાલયમાં સાધના કરી, જ્યાં તેઓ તેમના ગુરુને મળ્યા અને ત્યાંથી તેમની સાધના ચાલુ રાખી.

પાયલોટ બાબાએ મહાભારતના મહાન યોદ્ધા અશ્વત્થામાને મળ્યા હોવાનો દાવો કર્યો હતો, જે તેમના કહેવા મુજબ હિમાલયની તળેટીમાં આદિવાસીઓ વચ્ચે રહેતા હતા. તેમણે તેમના તપસ્યાના અનુભવો પર આધારિત અનેક પુસ્તકો પણ લખ્યા, જેમાંથી ‘અનવેલ્સ મિસ્ટ્રી ઑફ હિમાલય (ભાગ 1)’ અને ‘ડિસ્કવર સિક્રેટ ઑફ ધ હિમાલય (ભાગ 2)’ સૌથી વિશેષ પુસ્તકો હતા.

તેમની વેબસાઈટ મુજબ, આ પુસ્તકોમાં તેઓ મહાવતાર બાબાજી, અશ્વત્થામા અને કૃપાચાર્ય જેવી પ્રાચીન વ્યક્તિઓ સાથેની તેમની વાતચીત અને સમાધિના વિજ્ઞાનની ચર્ચા કરે છે.

Related posts

એક દેશ, એક ચૂંટણી ભારતમાં અમલી બનાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી

Ahmedabad Samay

ઈન્ડિગો 15 ડિસેમ્બર સુધી રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા કરવામાં કરવામાં આવશે

Ahmedabad Samay

શૂટર દાદી ચંદ્રો તોમરનું કોરોનાને કારણે થયું નિધન

Ahmedabad Samay

બ્લાસ્ટ યહૂદીઓ નિશાન બનાવીને કરવામાં આવ્યો

Ahmedabad Samay

માત્ર 6 મહિનામાં આ દેશ પર થયા 1800થી વધુ આતંકી હુમલા, જાણીને હચમચી જશો

Ahmedabad Samay

એલ.આઇ.સી. આઈ.પી.ઓ.નો ૧૦ ટકા હિસ્સો વીમા ધારકો માટે સુરક્ષિત રખાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો