March 25, 2026
ગુજરાત

જુલાઇથી સ્કૂલો રાબેતા મુજબ ચાલુ થવાની સંભાવના

જુલાઇથી સ્કૂલો રાબેતા મુજબ ચાલુ થવાની સંભાવના

કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં સુધારાને ધ્યાનમાં રાખીને દેશભરમાં અનલોક પ્રક્રિયા ઝડપી બની છે. મોટાભાગના રાજ્યોમાં બજાર, મોલ, રેસ્ટોરન્ટ, પાર્ક વગેરે ખોલવામાં આવ્યા છે પણ શાળા-કોલેજ સહિતની બધી શૈક્ષણિક સંસ્થાઓ હજુ બંધ છે. તેને ટુંક સમયમાં ખોલવાની તૈયારી છે. એવું મનાય રહ્યું છે કે જુલાઇમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિની સમીક્ષા પછી શૈક્ષણિક સંસ્થાઓને એડમિશન અને પરીક્ષા વગેરે માટે ખોલવાની પરવાનગી આપી શકાય છે. જો કે હાલ તો આ અંગે રાજ્યોના સૂચનો લેવાઇ રહ્યા છે.

આ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા શિક્ષકો અને અન્ય કર્મચારીઓના રસીકરણ પર ભાર મુકાયો છે. બધા રાજ્યોને આ બાબતે જરૂરી પહેલ કરવાના નિર્દેશ અપાયા છે. સૂત્રો અનુસાર, હમણાં વર્ગો ચાલુ કરવા એટલે કે વિદ્યાર્થીઓને બોલાવવા અંગે નિર્ણય નહીં લેવાય. શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાનો ઉદ્દેશ એડમીશન અને બાકી રહેલી પરીક્ષાઓ વગેરેની પ્રક્રિયાઓ ઝડપથી શરૂ કરવાનો છે કેમકે જુલાઇમાં દસમાં અને બારમાંના પરિણામો આવવાના છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે સ્થિતિ સ્પષ્ટ ના થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને કલાસમાં બોલાવવાનો નિર્ણય નહી લેવાય.

રાજ્યોને પણ પરિસ્થિતિના આધારે નિર્ણય લેવાની છૂટ અપાઇ છે. જુલાઇ અને ઓગસ્ટમાં એન્જીનિયરીંગમાં પ્રવેશ માટે જેઇઇની બે પરિક્ષાઓ અને મેડીકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષાઓ યોજવાની તૈયારી હોવાથી આ પ્રક્રિયા ઝડપી બનાવાઇ છે. આ પરિક્ષાઓ માટેના મોટાભાગના કેન્દ્રો શૈક્ષણિક સંસ્થાઓ જ હોય છે. આ દરમિયાન કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને નવોદય વિદ્યાલય સંગઠનો જે યોજના પર કામ કરી રહ્યા છે, તેમાં પહેલા નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. તો કેન્દ્રીય યુનિવર્સિટી સહિતની અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં છેલ્લા વર્ષ અને રિસર્ચ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધુ જોખમ હોવાનો ભય વ્યકત કરાઇ રહ્યો છે

Related posts

દિવાળી જેવી ભૂલ લોકોએ ફરી દોહરાવી, કોરોના વોરીયર માટે ચિંતાનો માહોલ

Ahmedabad Samay

બે ડોઝ છે ફાયદાકારક, બે ડોઝ બાદ ઝડપથી રિકવરી આવી

Ahmedabad Samay

સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરવા પર સરકાર પર અર્જુન મોઢવાડીયા એ સવાલ ઉઠાવ્યા, જ્યારે સુપર સ્પ્રેડર તરીકે તમામ પક્ષના નેતા આવી જાય છે

Ahmedabad Samay

ગુજરાતના ધારાસભ્યો માટે આજથી ત્રણ દિવસની ખાસ યોગ શિબિર યોજાઇ

Ahmedabad Samay

ભૂજ – પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

Ahmedabad Samay

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો