February 5, 2026
ગુજરાત

તા.૨૬ – ૨૭ બે દિવસ PM મોદી ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટથી ઇન્‍દિરા સર્કલ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્‍ય રોડ શો યોજાશે

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ  મોદીનો ગુજરાત પ્રવાસનો મિનિટ્‍સ ટુ મિનિટ્‍સ કાર્યક્રમ સામે આવ્‍યો છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસની રૂપરેખામાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી ૨૬ અને ૨૭મે બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. દાહોદ, ભૂજ અને ગાંધીનગર ખાતેના કાર્યક્રમોમાં પીએમ મોદી હાજર રહેશે. જેમાં ૨૬મી મે ના રોજ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સવારે ૧૦.૧૫ કલાકે વડોદરા એરપોર્ટ પહોંચશે. તથા વડોદરા એરપોર્ટથી હેલિકોપ્‍ટર દ્વારા પ્રધાનમંત્રી દાહોદ પહોંચશે. દાહોદ ખાતે બપોરે ૧૨ વાગ્‍યે જાહેર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજર રહેશે.

પ્રથમ લોકોમોટિવ એન્‍જિનનું વડાપ્રધાનના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવશે

દાહોદ ખાતે ૨૦ હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્‍શન યુનિટનું નિર્માણ થયું છે. જેમાં બનેલા ૯૦૦૦ એચપીના પ્રથમ લોકોમોટિવ એન્‍જિનનું વડાપ્રધાનના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવશે. દાહોદ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી વડોદરા એરપોર્ટ પરત ફરશે. વડોદરા એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી બપોરે ભુજ જવા માટે રવાના થશે. પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી બપોરે ૩.૩૦ કલાકે ભુજ એરપોર્ટ પહોંચશે. સાંજે ૪ કલાકે ભુજ ખાતે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી જંગી સભાને સંબોધિત કરશે. ભુજ ખાતેના કાર્યક્રમમાં વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુરત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્‍તે કરાશે. ભુજ એરપોર્ટથી પીએમ મોદી સાંજે ૫.૩૦ કલાકે અમદાવાદ આવવા માટે રવામાં થશે. સાંજે ૬.૩૦ કલાકે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે.

પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદમાં ભવ્‍ય સ્‍વાગત કરાશે

ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત ગુજરાત આવેલા પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદમાં ભવ્‍ય સ્‍વાગત કરાશે. અમદાવાદ એરપોર્ટથી ઇન્‍દિરા સર્કલ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્‍ય રોડ શો યોજાશે. પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી ૭.૩૦ કલાકે ગાંધીનગર રાજભવન પહોંચશે. પ્રધાનમંત્રી ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. તથા ૨૭મી મેના રોજ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસની શરૂઆત થશે.

 

પ્રધાનમંત્રીનું ઓપરેશન સિંદૂર અંતર્ગત ભવ્‍ય સ્‍વાગત થશે,પીએમ મોદી સવારે ૧૦.૧૫ કલાકે ગાંધીનગરના રાજભવનથી મહાત્‍મા મંદિર જવા રવાના થશે. સંભવિત રાજભવનથી મહાત્‍મા મંદિર સુધીના રૂટ પર પણ પ્રધાનમંત્રીનું ઓપરેશન સિંદૂર અંતર્ગત ભવ્‍ય સ્‍વાગત થશે. ૧૧ વાગ્‍યે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી ગાંધીનગરના મહાત્‍મા મંદિર ખાતે પહોંચશે. શહેરી વિકાસ વર્ષ અંતર્ગતના વિવિધ વિકાસ અને લોકાર્પણ કાર્યક્રમો પ્રધાનમંત્રીના હસ્‍તે કરાશે. મહાત્‍મા મંદિર ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી બપોરે ૧૨.૫૫ કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેમજ અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી દિલ્‍હી પરત ફરશે

Related posts

સિટીએમ ચાર રસ્તા પાસે આઇ20 માં અચાનક લાગી આગ

Ahmedabad Samay

વિક્કી ગેંડી ફરી બન્યો બેફામ,વધુ એક વેપારીને હપ્તો ન આપવા પર જાનથી મારવાની આપી ધમકી

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર તરીકે પુનમચંદ રણજીતસિંહ વણઝારા લડશે ઇલેક્શન

Ahmedabad Samay

ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ કઠવાડા ખાતે નવરાત્રિ નુ સુંદર મજા નુ આયોજન કરવામાં આવ્યું છે.

Ahmedabad Samay

PM મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો વડોદરાથી થયું પ્રારંભ

Ahmedabad Samay

કોંગ્રેસના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા શ્રી અહેમદ પટેલનું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો