June 22, 2026
ગુજરાતઅપરાધ

પરિણીતાએ પ્રેમી યુવક પર જ ઘરમાં બળજબરી ઘુસીને બળાત્કારનાં પ્રયાસનો ગુનો દાખલ કર્યો

અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી એક ૧૯ વર્ષીય પરિણીતાએ યુવક પર ઘરમાં બળજબરી ઘુસીને બળાત્કારનાં પ્રયાસનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.

જો કે પોલીસે યુવાનની કેફિયત પુછતા કંઇક અલગ જ એન્ગલ આવતા મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો. જેમાં ચોંકાવનારુ સત્ય સામે આવ્યું . યુવતીએ કબુલ્યું હતું કે, બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો. તેઓ છેલ્લા ઘણા લાંબા સમયથી મળતા પણ હોવાની કેફિયત આપી હતી. જો કે બંન્નેને મળતા એક સંબંધી જોઇ જતા તેઓ પરિવારને જાણ ન કરે તે માટે તેણે આ પ્રકારની ફરિયાદ કરી હતી. જેના કારણે યુવક પર બળાત્કારનો આરોપ મુકીને કેસ દાખલ કરાવી દીધો હતો.

મહિલા હેલ્પ લાઇનની ટીમે યુવતીને ગભરાયા વગર જે પણ સત્ય હોય તે કહેવા માટે જણઆવ્યું હતું. જેથી મહિલાએ જણાવ્યું કે, તમે કોઇને કહેતા નહી, હું મોટી તકલીફ મુકાઇ જઇશ. જેથી હેલ્પલાઇન કર્મચારીઓને તેમને સાંત્વના આપી હતી. પરિણીતાએ જણાવ્યું કે, પાછળના મહોલ્લામાં રહેતા યુવક સાથે છેલ્લા ચાર મહિનાથી સંબંધ છે. અવાર નવાર તેઓ મરજીથી મળતા હતા. કોઇ સંબંધી તેમના ઘરની બહાર નિકળતા જોઇ ગયા હતા. જેથી પતિ તેમને છુટાછેડા આપી દેશે એવા ડરથી તેણે સાચી હકીકત છુપાવવા માટે પ્રેમી પર ખોટો આરોપ મુક્યો હતો.

પ્રેમનો ભાંડો ફુટી જશે અથવા અન્ય કોઇ રીતે પતિને જાણ થશે તો પિયર મોકલી દેશે. માતા પિતાને પણ જાણ થશે તો આ રીતે તકલીફમાં મુકાઇ જશે. જેથી આ સમગ્ર બાબતનું કોઇને જાણ ન જાય તે રીતે સમાધાન લાવવા માટે મહિલાએ હેલ્પલાઇનને આજીજી કરી હતી. આખરે હેલ્પલાઇનની ટીમે યુવક અને પરિવારજનો સાથે ખાસ વાતચીત કરી. હવે સંબંધ નહી રાખવા અને ફોન મેસેજ નહી કરવા સમજાવીસમગ્ર સમસ્યાનું હકારાત્મક સમાધાન લાવ્યા હતા.

Related posts

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

Ahmedabad Samay

એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઉઠાવી રહ્યા છે મોંઘી સુવિધાઓ નો લાભ: એર ઇન્ડિયા પાયલોટ

Ahmedabad Samay

રશિયાની રાજધાની મોસ્‍કો નજીક આવેલા ક્રોકસ સિટી હોલમાં જોરદાર આતંકી હુમલો

Ahmedabad Samay

અમદાવાદ: બિહારના ઉપમુખ્યમંત્રીને મેટ્રો કોર્ટનું તેડું! સમન્સ પાઠવ્યું, વધુ સુનાવણી 20 મેના રોજ થશે!

Ahmedabad Samay

ઝૂલતો પુલ દુર્ઘટના : જયસુખ પટેલના વચગાળાના જામીન મામલે બંને પક્ષે દલીલો રજુ કરી, તા. ૦૭ ના રોજ હુકમ કરાશે

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સરસપુરમાં નિરીક્ષણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો