June 22, 2026
ગુજરાત

શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસો, પિકનિકો તથા ભારત દર્શન કાર્યક્રમોમાં હવે બે ગણવેશધારી પોલીસકર્મીઓ ફરજિયાત રીતે હાજર રહેશે

રાજ્‍યની પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસો, પિકનિકો તથા ભારત દર્શન કાર્યક્રમોમાં હવે બે ગણવેશધારી પોલીસકર્મીઓ ફરજિયાત રીતે હાજર રહેશે. ગુજરાતના પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી વિકાસ સહાયે રાજ્‍યની તમામ શાળાઓને આ બાબતે તાત્‍કાલિક આદેશ આપ્‍યા છે. આ આદેશને મુખ્‍ય પ્રધાનમંત્રીના DGP-IGP કોન્‍ફરન્‍સમાં આપવામાં આવેલા સૂચન ક્રમ ૦૬ના અમલરૂપે અમલમાં મૂકવામાં આવ્‍યો છે.

આ આદેશ મુજબ, દરેક આચાર્યને પ્રવાસ યોજવા પહેલાં નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરીને પ્રવાસ દરમિયાન બે પોલીસકર્મીઓની હાજરી સુનિશ્‍ચિત કરવાની રહેશે. મહિલાઓના સહભાગી પ્રવાસો માટે ખાસ રીતે મહિલા પોલીસકર્મીઓની પણ હાજરી ફરજિયાત રહેશે. આચાર્યોને આ સમગ્ર આયોજન અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરી adapprm@ gujarat. gov.in ઈ-મેઈલ પર મોકલવા પણ આદેશ આપવામાં આવ્‍યો છે.

આ પગલાનો મુખ્‍ય ઉદ્દેશ બાળકોની સલામતી છે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓના પ્રવાસો દરમ્‍યાન સર્જાતા અકસ્‍માતો અને દુર્ઘટનાઓએ શિક્ષણ વિભાગને અને પોલીસ તંત્રને ચિંતિત કર્યા છે. ખાસ કરીને વડોદરા શહેરના હરણી તળાવમાં ૨૦૨૩માં થયેલા હરણી બોટ કાંડના પીડાદાયક અનુભવને કારણે શિક્ષણ પ્રવાસોની સલામતી વધુ ચિંતાનો વિષય બની ગઈ હતી. આ કાંડમાં સલામતીના અભાવને કારણે અનેક બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્‍યો હતો. હવે રાજ્‍ય સરકારે આ પ્રકારની દુર્ઘટનાઓ અટકાવવા માટે આ નવી વ્‍યવસ્‍થા અમલમાં મૂકી છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં શાળા પ્રવાસો સતત યોજાતા રહે છે. વિદ્યાર્થીઓને શાળાની ચાર દીવાલ બહારના અનુભવોથી અવગત કરાવવા માટે શિક્ષકો વારંવાર શહેરના મ્‍યુઝિયમ, ઐતિહાસિક સ્‍થળો, નદી-તળાવ કિનારે, વૈજ્ઞાનિક કેન્‍દ્રો અને ધાર્મિક સ્‍થળોની મુલાકાત આયોજન કરે છે. પરંતુ અત્‍યાર સુધીમાં પ્રવાસોની સુનિશ્‍ચિત સુરક્ષા અંગે વિશેષ સૂચનાઓ ન હતી. હવે બે પોલીસકર્મીઓની ફરજિયાત હાજરીના આદેશ પછી દરેક આચાર્યો વધુ સતર્ક બનવાના છે.

રાજ્‍યના પોલીસ વડા વિકાસ સહાયે આચાર્યોને સમજાવ્‍યું છે કે, પોલીસ વિભાગના સંકલનથી પ્રવાસ વધુ સુરક્ષિત બનશે. તેઓએ જણાવ્‍યું કે, ‘શાળાઓએ બાળકોના જથ્‍થાના માપ પ્રમાણે પૂરતા પ્રમાણમાં પોલીસ સહાય મેળવવાની રહેશે. ખાસ કરીને મહિલા વિદ્યાર્થીનીઓના પ્રવાસો માટે મહિલા પોલીસકર્મી સાથે રાખવાની સૂચના આચાર્યો માટે અનિવાર્ય છે

Related posts

વડોદરા: MS યુનિવર્સિટીમાં ઠેર-ઠેર લાગ્યા ‘વીસી લાપતા’ના પોસ્ટર, રાજીનામું આપવા સુધીની ઊઠી માગ!

Ahmedabad Samay

દિલ્હી માં ફરી લોકડાઉન વધારવાના એંધાણ

Ahmedabad Samay

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસની સમય સુચકતાએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો

Ahmedabad Samay

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી અમદાવાદના નરોડા અને મેઘાણીનગર પહોંચ્યો.

Ahmedabad Samay

છત્રપતિ શિવાજીની ‘વાઘનાખ’ને લંડનથી મહારાષ્ટ્ર લાવવામાં આવ્યું જાણો વાઘનખાનું ઇતિહાસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો