અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી ની 148 મી રથયાત્રા નિમિત્તે એકતા ક્રિકેટ કપ 2025 સીઝન – 4 નું આયોજન બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે.
પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિકનાઓએ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, સ્થાનિક ધારાસભ્યશ્રી હસમુખભાઈ પટેલ અને અન્ય સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથે એકતા ક્રિકેટ કપનો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો.સ્થાનિક યુવાનો ઉત્સાહ અને સૌહાર્દ સાથે આગામી દિવસોમાં આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર છે.
