June 21, 2026
ગુજરાત

લોકડાઉન ૩.૦ ૪ મેં થી લાગુ, ૩.૦માં ઝોન વાઇઝ છુટ અપાશે.

કોરોના સામે લડત ચાલી રહી છે અને આ લડતને વધુ સફળ બનાવવા માટે લોકડાઉન વધુ બે અઠવાડિયા વધારવામાં આવ્યું છે.

૦૩ મેં એ બીજો લોકડાઉન સમાપ્ત થઇ જવાનું હતું પરંતુ હાલની કોરોના ને લઈ પરિસ્થિતિ જોતા લોકડાઉન ૦૪ મે થી ૧૭ મેં સુધી રહેશે. દેશ ને ત્રણ ઝોન પ્રમાણે છુટ આપવામાં આવશે. રેડ,ઓરેન્જ અને ગ્રીન ઝોન આપવામાં આવશે,  ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં લોકડાઉન૩.૦ માં છૂટ છાટ આપવામાં આવશે,

ક્યા ઝોન માં કેટલી છુટ.

ગ્રીન ઝોન.

ગ્રીન ઝોનમાં ૫૦% બસ સુવિધા ઉપલબ્ધ કરાશે, સલૂન, પાન મસાલા અને અન્ય જરૂરિયાત વસ્તુઓ ની છુટ આપવામા આવશે જે ૦૪ મેં થી લાગુ કરવામાં આવશે.

 

ઓરેન્જ ઝોન:

ઓરેન્જ ઝોનમાં બસ સેવાની છુટ આપવામાં આવશે નહી, કેબ ની પરવાનગી આપવામાં આવી છે પરંતુ એક કેબમાં એક જ પેસેન્જર ની છુટ આપવામાં આવી છે, ટુ વિહલર પર ફક્ત એક જ વ્યક્તિ જઇ શકશે. કોમ્પલેક્ષ ખુલશે પરંતુ માણસોને અવરજવર માન્ય પ્રવુતિ માટેજ અપાશે, વિમાન,રેલ, મેટ્રો, સડક માર્ગ, બસ, સ્કૂલ , કોલેજ અને ક્લાસીસ બંધ રહેશે.

રેડ ઝોન:

રેડ ઝોનમાં આઇટી, કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ,  પ્રાઇવેટ સિક્યુરિટી, જીવનજરૂરી ચીજ વસ્તુઓ જેની મંજુરી રાજ્ય સરકારે આપી છે તેવા તમામ કામકાજ જ ચાલુ રાખી શકશે.

 

૩.૦ લોકડાઉન માં આ વસ્તુઓ બંધ રહેશે.

વિમાન, રેલ,મેટ્રો ટ્રેન, આંતરરાજ્ય રોડ, અવરજવર, શાળા-કોલેજ, યુનિવર્સિટી, થિયેટર, શોપિંગ મોલ, જીમ અને ધાર્મિક સ્થળ તમામ ઝોનમાં બંધ રહેશે.

Related posts

RTE હેઠળ પ્રવેશમાં એક માત્ર સંતાન દીકરી હોય તેને પ્રાધાન્ય: કોર્પોરેશન દ્વારા તેનું પ્રમાણપત્ર સોમવારથી આપશે

admin

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળ પાસે એક મકાન ધરાશાયી,

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા ફક્ત અમદાવાદ સમય પર

Ahmedabad Samay

અદાણી એરપોર્ટ પર તમામ સ્ટાફના પગારમાંથી અદાણી ટુ વહીલર ધારક પાસે થી ૩૦૦૦ રૂ અને ફોર વહીલર પાસેથી ૬૦૦૦રૂ પડાવશે, તમામ કર્મચારીઓ, કાર્ગો એજેન્ટ અને વાહન ચાલકો ના ખુશ

Ahmedabad Samay

અમદાવાદમાં રથયાત્રાને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી

Ahmedabad Samay

35 સોસાયટીઓ માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો