અમદાવાદમાં રફતારના રાક્ષસો અટકવાનું નામ લેતા નથી. અમદાવાદના મેઘાણીનગરમાં પુરપાટ ચાલતી કારે એક્ટિવા ચાલકને કચડ્યો હતો. મેઘાણીનગરમાં શ્રીજી ડેરી પાર્લર પાસે થયેલા અકસ્માતમાં બેફામ બનેલા કારે ચાર જેટલા લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા.
બેફામ સ્પીડે આવતા રફતારના રાક્ષસે એક્ટિવા ચાલકને એવી ટક્કર મારી હતી કે તે કારની આગળના ભાગમાં ફસાઈ ગયો હતો. રફ્તારના રાક્ષસે સર્જેલા અકસ્માતમાં બીજા લોકોને પણ ઇજા થઈ હતી. આ અકસ્માતની ભયાનકતા એટલી જબરદસ્ત હતી કે કારની આગળના ભાગમાં ફસાયેલા એક્ટિવા ચાલકને જોવા મોટું ટોળું જમા થઈ ગયું હતુ.
