June 21, 2026
ગુજરાત

હવે થોડી છુટ છાટ સાથે ધમધમસે ગુજરાત

રપ માર્ચથી શરૂ થયેલ લોકડાઉનના કારણ બંધ રહેલ વેપાર-રોજગાર ફરી શરૂ કરવા કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ વિજયભાઇ રૂપાણીની સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તે મુજબ આવતી કાલથી ઠંડા-પીણા, પાન-મસાલા, હેર કટીંગ સલૂન જેવા મર્યાદિત પ્રકારના ધંધાઓ સિવાય તમામ પ્રકારના ધંધાઓ કોરોનોના નિયમો જાળવવાની શરતે શરૂ કરી શકાશે. મહામારીથી ઠપ્પ થઇ ગયેલા ધંધા-રોજગારને ફરીથી ચાલુ કરવા સરકારનો આ નિર્ણય મહત્વનો સાબિત થશે.


મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકારો સમક્ષ જાહેર કર્યા મુજબ મોલ અને કોમ્પ્લેક્ષ સિવાયની સરકારે જાહેર કરેલી તમામ પ્રકારના ધંધાઓની દુકાનો રાબેતા મુજબ સરકારની ગાઇડ લાઇન મુજબ શરૂ કરી શકાશે. દુકાનદારે ઘરે થી દુકાને જવા આવવા માટે અલગ પાસ કાઢવવાની જરૂર નથી તેનો ગુમાસ્તાધારાનો પુરાવો (શોપ લાયસન્સ) જ તેનો પાસ ગણાશે. ધંધો ચાલુ કરવા માટે અન્ય કોઇ કચેરીની મંજુરી લેવાની રહેશે નહીં. આઇટી અને આઇટી સાથે સંકળાયેલ વ્યવસાય કોરોનાની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારની બહાર હોય તો તે શરૂ કરવા મંજુરી આપવામાં આવી છે. રાજયમાં લોકડાઉન વખતથી જ કરીયાણા, દૂધ, શાકભાજી, મેડીકલ વિગેરે ચાલુ રાખવાની છુટ અપાયેલ હતી, થોડા દિવસ પહેલા મહાનગરો સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગો ચાલુ કરવા માટે છુટ આપવામાં આવી હતી.

આજે રાજય સરકારે ઠંઠા-પીણા, પાન-મસાલા, હેરકટીંગ અમુક ધંધાઓને બાદ કરતા બાકીના તમામ ધંધાઓ માટે મોલ અને કોમ્પ્લેક્ષ સિવાયની દુકાનો શરૂ કરવા માટે છુટ આપી છે. રેડ ઝોનમાં કોઇ કામકાજ થઇ શકશે નહીં. નાના-મોટા દુકાનદારોએ સોશિયલ ડિસન્ટ જાળવવુ પડશે. માસ્ક અને મર્યાદિત સ્ટાફનો નિયમ પણ પાળવો પડશે. લગભગ ૧ મહિના પછી કાલે મોટા ભાગના ધંધાઓ શરૂ થશે. કાલે રવિવાર હોવાની બજારો સોમવારથી ધમધમતા દેખાશે.

આવતીકાલથી કઇ-કઇ દુકાનો ખુલી રહેશે અને કઇ-કઇ દુકાનો બંધ રહેશે – ખુલી રહેશેઃ

ચશ્માની દુકાનો, કરિયાણાની દુકાન, ગેરેજ, એસી રીપેરીંગ, ખાનગી ડેરી, ઇલેકટ્રીશ્યન, મોબાઇલ રીચાર્જની દુકાનો, સ્ટેશનરીની દુકાનો, પંચરની દુકાનો, ઇલેકટ્રીકની દુકાનો –

બંધ રહેશેઃ

ફુલની દુકાનો, ટ્રાવેલ્સની ઓફિસો, ગીફટ આર્ટીકલ્સ, ફોટો સ્ટુડીયો, હાર્ડવેર-કટલેરીની દુકાનો, રીક્ષાઓ, પગરખા, પાનના ગલ્લા, આઇસ્ક્રીમ પાર્લરો, નાસ્તા-ફરસાણની દુકાનો, ઠંડાપીણાની દુકાનો, ચાની હોટલો, રેસ્ટોરન્ટ, હેર સલુન.

Related posts

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

દેશભરમાં ઠંડી અને ધુમ્‍મસ હોવા છતાં, લોકોએ ઉત્‍સાહપૂર્વક ૨૦૨૬નું સ્‍વાગત કર્યું

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

Ahmedabad Samay

દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા ૨૫ બેડની સુવિધા કરાઇ

Ahmedabad Samay

અકસ્માત મૃત્યુ કેસ મા આરોપી ૦૯ વર્ષ બાદ નિર્દોષ સાબિત થયો.

Ahmedabad Samay

અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો