September 20, 2026
ગુજરાતમનોરંજન

ફિલ્મ પ્રમોશનલ એક્‍ટિવિટીમાં જાણીતા એક્‍ટ્રેસ માનસી પારેખ અને પીઢ અભિનેતા ટીકુ તલસાણીયાએ બાઇક સ્ટંટ કરતા ફરિયાદ નોંધાઇ

અમદાવાદમાં એક આગામી ફિલ્‍મનું પ્રમોશન કરવા માટે ફિલ્‍મના કલાકારોએ જાહેર રોડ પર બાઇક પર જોખમી સ્‍ટંટ કરીને વિવાદ સર્જ્‍યો છે. આ પ્રમોશનલ એક્‍ટિવિટીમાં જાણીતા એક્‍ટ્રેસ માનસી પારેખ અને પીઢ અભિનેતા ટીકુ તલસાણીયા જોડાયા હતા. પ્રમોશનના ભાગરૂપે, આ કલાકારોએ ચાલુ બાઇક પર ઊભા રહીને સ્‍ટંટ કર્યા હતા. આ સ્‍ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. કલાકારોનો આ પગલો સલામતીના નિયમોની ગંભીર અવગણના કરતો હોવાથી તેઓ ટીકાનો ભોગ બન્‍યા છે.

જાહેર માર્ગ પર આ પ્રકારના જોખમી સ્‍ટંટ કરવા એ ટ્રાફિક નિયમોનું સ્‍પષ્ટ ઉલ્લંઘન છે અને તેનાથી માર્ગ પર પસાર થતા અન્‍ય વાહનચાલકો તથા રાહદારીઓના જીવ જોખમાય છે. ફિલ્‍મ પ્રમોશન માટે કલાકારોએ આ પ્રકારનો બેદરકારીભર્યો રસ્‍તો અપનાવવો એ ઘણું અયોગ્‍ય ગણાય.

ચાલુ બાઇક પર ઊભા રહેવું એ ગમે ત્‍યારે અકસ્‍માત સર્જી શકે છે, જેના ગંભીર પરિણામો આવી શકે છે. કલાકારો પોતે જાણીતી વ્‍યક્‍તિઓ હોવાથી, તેમનું આ કળત્‍ય યુવાનોને પણ જોખમી સ્‍ટંટ કરવા માટે પ્રોત્‍સાહિત કરી શકે છે.

અમદાવાદના સાયન્‍સ સિટી રોડ પર પોતાની ફિલ્‍મનું પ્રમોશન કરવા જઈ રહેલી અભિનેત્રી માનસી પારેખ અને ટીકુ તલસાણીયા સહિતના કલાકારોને જાહેર રોડ પર સ્‍પોર્ટ્‍સ બાઇક પર ખતરનાક સ્‍ટંટ કરવા બદલ મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો છે. ચાલુ બાઇક પર ઊભા રહીને કરવામાં આવેલા આ સ્‍ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં, અમદાવાદના એ ટ્રાફિક પોલીસ સ્‍ટેશનમાં કલાકારો અને ત્રણ બાઇક ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. પોલીસે બાઇક ચાલકોની ઓળખ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

અમદાવાદમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના એપીએમસી-માર્કેટ યાર્ડ ખાતે યોજાશે

Ahmedabad Samay

રણું ગામના તુળજા માતાજી મંદિર પાસે ઘણા સમયથી આતંક મચાવનાર વાનર (કપીરાજ) આખરે પાંજરે પુરાયો

Ahmedabad Samay

અમદાવાદ – અત્યાર સુધીમાં એરપોર્ટ પરથી 1000થી વધુ હજયાત્રીઓ રવાના થયા

Ahmedabad Samay

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હશે ૧૪૯મી ઐતિહાસીક યાત્રા, જાણો ક્યારે હશે ઐતિહાસિક યાત્રા

Ahmedabad Samay

પોલીસ દ્વારા અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને આખરી ઓપ આપવામાં આવી

Ahmedabad Samay

વડોદરાના બહુચર્ચિત સામુહિક દુષ્કર્મ અને આપઘાતના મામલા માટે SIT ની રચના કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો