November 17, 2025
ગુજરાત

અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે

કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે, અમદાવાદ રેલવે સ્ટેશને ચાલતા વિકાસલક્ષી કાર્યની સમિક્ષા હાથ ધરી હતી. આ દરમિયાન તેમણે  પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, અમદાવાદ અને સુરત સહિત દેશના 20 એવા શહેર છે જ્યાંથી રોજ નવી ટ્રેન દોડાવવાની માંગણી રેલવે વિભાગ પાસે આવે છે.

આ માંગણીઓને ધ્યાને લઈને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને વધારાના 3 પ્લેટફોર્મ બનાવવામાં આવશે. જ્યારે વટવા રેલવે સ્ટેશનને મેગા ટર્મિનલ બનાવીને ત્યાં રેલવેની નવી 10 લાઈન નાખવાનુ આયોજન છે. આમ કરવાથી વટવા રેલવે સ્ટેશનેથી રોજ નવી 150 ટ્રેનની આવન જાવન થઈ શકશે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ચાલતા કામ અંગે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે. હાલમાં 16 પૈકી 4 માળનું બાંધકામ પૂર્ણ થયું છે. આ રેલવે સ્ટેશને આવવા માટે એલિવેટેડ રોડ બનાવવામાં આવશે. જેના ગડરનું કામ પૂર્ણ થયું છે.

Related posts

કૃષ્ણનગરમાં ઉત્તરાયણે ધાબા પર ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લેવાયો

Ahmedabad Samay

સુરતમાં પોલીસના હપ્તારાજ ને બેનકાબ કરતા એડવોકેટ પર પોલીસ દ્વારા કરવામા આવ્યો જીવલેણ હુમલો

Ahmedabad Samay

અમદાવાદમાં દારૂના વેચાણ કરવામાં વધુ એક વિસ્તારનો થયો ઉમેરો,અડ્ડાનું સ્થળ જોઈ મોટો હપ્તો હશે

Ahmedabad Samay

એક જ દિવસમાં 762 આરોગ્‍ય વિભાગના કોરોના વોરિયર્સને રસી અપાઇ

Ahmedabad Samay

પાન મસાલા સ્ટોક કરીલો, કોરોના કંટ્રોલમાં ના આવે ત્યા સુધી શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કરાયો

Ahmedabad Samay

બપોર સુધીમાં મતદાન રહ્યું મંદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો