March 23, 2026
અપરાધ

મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર પ્રેમ પ્રકરણમાં બની હત્યાની ઘટના

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે, જેના કારણે આ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં બે હત્યાની ઘટનાઓ નોંધાઈ છે.

ગઈકાલે મોડી રાતે મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર ચંદ્રશેખર તોમર નામના યુવકને અજાણ્યા શખસ દ્વારા પીઠના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ હત્યા પાછળ પ્રેમ સંબંધ જવાબદાર હોવાની શંકાના આધારે પોલીસે તપાસનો દોર શરૃ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, ચંદ્રશેખર તોમર સંયુક્ત પરિવારમાં રહેતો હતો અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે (૩૦મી નવેમ્બર) મોડી રાતે તે પોતાના મિત્ર સાથે ભાર્ગવ રોડ પર ચાલીને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક અજાણ્યો શખસ આવ્યો હતો અને પાછળથી તેની પીઠ પર છરીના ઘા ઝીંકીને તરત જ ફરાર થઈ ગયો હતો. છરીના હુમલાથી ચંદ્રશેખર લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.

ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રશેખરને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં તેઓ પણ તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા.

સારવાર દરમિયાન ચંદ્રશેખરને મૃત જાહેર કર્યો હતો. આ પછી ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જોકે, પોલીસે પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા વ્યક્ત કરી છે અને તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Related posts

હિંમતનગરના બુટલેગરને 156 બીયરના ટીન આપવા કારમાં નીકળેલા બે બુટલેગરોને શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી દબોચ્યા

Ahmedabad Samay

સુરત: રૂ. 63 હજાર પગાર ધરાવતો IT વિભાગનો સ્ટેનોગ્રાફર રૂ.2500ની લાંચ લેતા ઝડપાયો

Ahmedabad Samay

ટૂર પેકેજની લોભામણી જાહેરાત આપી શિક્ષક અને તેના વેપારી મિત્ર સાથે 1.70 લાખની છેતરપિંડી

Ahmedabad Samay

અમદાવાદ: જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મહિલાઓ સહિત વધુ 30ની ધરપકડ, આટલા લાખ આપી પેપર ખરીદ્યાનો આરોપ!

admin

અમદાવાદ: નરોડામાં 17 વર્ષીય સગીરાએ આપઘાત કર્યો! પોલીસને જણાવ્યા વિના જ પરિવાર અંતિમ વિધિ માટે સ્મશાન પહોંચ્યો, ઊભા થયા અનેક સવાલ

Ahmedabad Samay

પતિએ ” તારે મરવું હોયતો મરિજા” કહેતા પત્ની એ સાબરમતી નદીમાં જીવ ટૂંકાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો