અમદાવાદમાં ચાલી રહેલા અસંખ્ય દારૂના દારૂના અડ્ડાથી પ્રજા ત્રસ્ત થઇ ચુકી છે અવાર નવાર લોકો દારૂના અડ્ડા વિશે પોલીસને જાણ કરતા હોય છે ફરિયાદ કરતા હોય છે થોડા સમય પહેલાજ પોલીસ કમિશનર શ્રીને એક અજાણ્યા શખ્સ દ્વારા ઇ-મેલ કરવામાં આવ્યો હતો કે જો દારૂના અડ્ડા બંધ નહિ થાય તો તે કમિશનર કચેરીએ આવીને આત્મ વિલોપન કરશે તેવામાં આજ રોજ દારૂના અડ્ડાને લઈને બીજો કિસ્સો સામે આવેલ છે,
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ખુલ્લે આમ એક મહિલા બુટલેગર દ્વારા દારૂનો અડ્ડો ચલાવવામાં આવે રહ્યો છે જેના થી ત્યાંના રહીશો ખુબજ ત્રસ્ત થઇ ચુક્યા છે, દારૂના અડ્ડા પર દારૂ લેવા આવતા જતા લોકો દ્વારા ઘણી વાર આજુ બાજુમાં રહેતા રહીશો સાથે ઝઘડો પણ થતો હોય છે, આજુબાજુ માં રહેતા લોકોને દારૂ લેવા આવતા લોકો થી તેમના ઘરમાં રહેતા સ્ત્રી, બહેન દીકરીઓની ચિંતા સતાવતી હોય છે તે માટે આજ રોજ
આજુબાજુના તમામ લોકો એકત્રિત થઇને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મહિલા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે માંગ કરી છે હવે જોવાનું એ છે કે ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદીપસિંહના આદેશનું પોલીસ કેટલું પાલન કરેછે અને જનતાને શુ ન્યાય આપે છે.
