જીઆઇએસએફએસ ની વડી કચેરી ખાતે, બહુમાળી ભવન, ગિરધરનગર, અસારવા,અમદાવાદ ખાતે 26 મી જાન્યુઆરી 2026 , પ્રજાસત્તાક દિવસે પ્રથમ વખત GISFS કચેરી ખાતે ધ્વજવંદન સીઈઓ શ્રી પી.જી. ધારૈયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ
જીઆઈએસએફએસ ના ઓફિસ સ્ટાફ, સિક્યુરિટી જવાનોએ તેમજ એસએસઆઈ, શ્રી ગિરીશ ઠાકુર એ પોતાની ટીમ સાથે રાષ્ટ્રગીત સાથે ધ્વજ વંદન કરેલ હતું. બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ ખાતે ફરજ બજાવતા પ્લેન ક્રેશ દુર્ઘટના માં ચાલુ ફરજ દોરાન ને ઘાયલ થતા અવસાન પામનાર સ્વર્ગીય શ્રી રાજેન્દ્ર પાટનકર ના ધર્મ પત્નીને શ્રીમતી મીનાબેન ને સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરેલ હતું.
એસ.એસ.આઈ શ્રી ગિરીશ એમ.એમ.ઠાકુર તેમજ શ્રી દિનેશ મારુ અને એમની ટીમે શ્રી પાટનકર પરિવાર પોતાનું પરિવાર સમજીને દિલ થી હમેશા લાગણી વ્યક્ત કરી હતી. ઈએસઆઈસી તરફ થી શ્રી સ્વર્ગીય રાજેન્દ્ર પાટનકર ના ધર્મ પત્ની મીનાબેન આજીવન પેન્શન ચાલુ કરાવવા માં શ્રી ગીરીશ એમ.ઠાકુર સાહેબ ખૂબજ મહેનત કરી હતી.અને એમના ફેમિલી ને લાઈફ ટાઈમ સુધી પેન્શન ચાલુ થયેલ છે.શ્રી પીજી ધારૈયા સાહેબ અને એસ.એસ.આઈ.શ્રી ગિરીશ એમ. ઠાકુર સાહેબ ની કામગીરી ને મીડિયા પરિવાર સલામ કરીએ છીએ.
