July 22, 2026
પોલીસ
ગુજરાત

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં વહીવટી પારદર્શિતા અને જાહેર હિતને ધ્યાને રાખીને મોટા પાયે આંતરિક ફેરફારો કરાયા

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં વહીવટી પારદર્શિતા અને જાહેર હિતને ધ્યાને રાખીને મોટા પાયે આંતરિક ફેરફારો કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશો અનુસાર, શહેરમાં ફરજ બજાવતા ૨૭ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય પોલીસ વડાના વિવિધ હુકમો અન્વયે અમદાવાદ ખાતે હાજર થયેલા ૮ નવા પોલીસ ઇન્સ્પેક્ટરોને, જેઓ અત્યાર સુધી કંટ્રોલરૂમ લીવ રિઝર્વમાં હતા, તેઓને પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો અને મહત્વની શાખાઓમાં નિમણૂંક આપી દેવામાં આવી છે.
નવા નિમણૂંક પામેલા ૮ પોલીસ ઇન્સ્પેક્ટરોની વિગત:
પોલીસ કમિશનર કચેરીના આદેશ મુજબ, કંટ્રોલરૂમ લીવ રિઝર્વમાંથી લાખાભાઈ ગોબરભાઈ નકુમને E.O.W. માં નિમણૂંક અપાઈ છે. રાણા આશાભાઈ ભોજાણીને S.O.G. માં અને દર્શકકુમાર બાબુભાઈ મજીઠીયાને કંટ્રોલરૂમમાં મૂકવામાં આવ્યા છે. શ્રીમતી સલમા ઈબ્રાહીમભાઈ સુમરાને આઇ-ટ્રાફિકની જવાબદારી સોંપાઈ છે. સંજય કાળાભાઈ કરમટાને વેજલપુર-II માં, મહેશકુમાર વીરજીભાઈ પટેલને સાયબર ક્રાઇમમાં, નિખિલકુમાર રમેશભાઈ બ્રહ્મભટ્ટને ક્રાઇમ બ્રાન્ચમાં અને ઝમીરૂદ્દીન ઇલ્લુદ્દીન શેખને સાયબર ક્રાઇમમાં નવી નિમણૂંક આપવામાં આવી છે.

૨૭ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીની વિગત:
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે થયેલી બદલીઓમાં આર.જી.સિંધુને EOW થી વસ્ત્રાપુર, એલ.એલ.ચાવડાને વસ્ત્રાપુર થી સરખેજ, અને એસ.એ.ગોહિલ (શક્તિસિંહ અજીતસિંહ ગોહિલ) ને સરખેજ થી સરદારનગર ખાતે બદલવામાં આવ્યા છે. એમ.ડી.ચંપાવતને સરદારનગર થી નવરંગપુરા, કે.એ.ગઢવીને નવરંગપુરા થી નારોલ, અને પી.સી.દેસાઈને નારોલ થી ફરી EOW માં મૂકાયા છે.
વી.એચ.જોષીને SOG થી કૃષ્ણનગર, જે.કે.મકવાણાને ક્રાઈમ બ્રાન્ચ થી ચાંદખેડા-I, અને વી.એન.ચૌધરીને EOW થી શહેરકોટડા ખાતે બદલી અપાઈ છે. આર.એસ.પરમારને વેજલપુર-II થી આનંદનગર, કે.પી.જાડેજાને માધવપુરા થી EOW, અને સી.રાણાને રીડર ટુ જે.સી.પી. ટ્રાફીક થી માધવપુરા ખાતે મોકલવામાં આવ્યા છે. એ.વાય.પટેલને એચ-ટ્રાફીક થી રીડર ટુ જે.સી.પી.ટ્રાફીક, એચ.વી.ધન્ધુકીયાને ગા’હવેલી-II થી એચ-ટ્રાફીક, અને ટી.આર.ગઢવીને શાહીબાગ-II થી ગા’હવેલી-II માં નિયુક્ત કર્યા છે.

મહિલા અધિકારીઓમાં શ્રીમતી એમ.એ.આંબલીયાને સાબરમતી રીવરફ્રન્ટ (પૂર્વ) થી કંટ્રોલ રૂમમાં, જ્યારે એ.એમ.દેસાઈને કંટ્રોલ રૂમ થી સાબરમતી રીવરફ્રન્ટ (પૂર્વ) માં મૂકાયા છે. શ્રીમતી એમ.એ.સિંઘને સાબરમતી રીવરફ્રન્ટ (પશ્ચિમ) થી ક્રાઈમ બ્રાન્ચમાં અને શ્રીમતી જી.એમ.ચૌધરીને નવરંગપુરા-II થી સાબરમતી રીવરફ્રન્ટ (પશ્ચિમ) માં બદલી અપાઈ છે.
અન્ય બદલીઓમાં એચ.એ.પટેલને દાણીલીમડા થી કંટ્રોલ રૂમ, સી.ટી.દેસાઈને સાયબર ક્રાઈમ થી દાણીલીમડા, એસ.એન.પટેલને જે-ટ્રાફીક થી સાયબર ક્રાઈમ, અને એસ.બી.ચૌધરીને કંટ્રોલ રૂમ થી જે-ટ્રાફીક ખાતે મોકલાયા છે. શ્રીમતી એ.એમ.ઠાકોરને બી-ટ્રાફીક થી વિશેષ શાખામાં, જ્યારે જે.એચ.ચૌધરીને વિશેષ શાખા થી બી-ટ્રાફીક માં મૂકાયા છે. છેલ્લે, આર.જી.દેસાઈને દરીયાપુર થી કંટ્રોલ રૂમ અને કે.ડી.જાટને કંટ્રોલ રૂમ થી દરીયાપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

પોલીસ કમિશનર દ્વારા આદેશ અપાયો છે કે તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમની નવી જગ્યા પર હાજર કરવાના રહેશે અને તે અંગેનો રિપોર્ટ કચેરીએ સુપરત કરવાનો રહેશે.

Related posts

નવા ૨૧ વિસ્તારો ઉમેરાતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૧૪૧ થઇ

Ahmedabad Samay

કુબેરનગર કોર્પોરેશનમાં પાણીની પાઇપ ફાટતા પીવાના પાણી સમસ્યા સર્જાઈ

Ahmedabad Samay

અમદાવાદના માધુપુરામાં ભત્રીજાનો કાકાના આખા પરિવાર ઉપર એસિડ એટેક

Ahmedabad Samay

ઇન્ડિયા ગઠબંધનના મંચ પર વડાપ્રધાન મોદીના માતા વિરુદ્ધ અપ શબ્દો બોલાયા હતા જેને પગલે બિહારી સમુદાય, અન્ય ભાષા સમુદાય દ્વારા વિરોધ કરાયું

Ahmedabad Samay

સિવિલ હોસ્પિટલની સરાહનીય કામગીરી,સિવિલ અને ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડીંગમાં આવતા દર્દી અને તેમના સ્વજનોને હોસ્પિટલ તંત્રના સ્ટાફ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે

Ahmedabad Samay

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની 472 જગ્યાઓ માટે આવતીકાલે લેવાશે પરીક્ષા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો