વોટ્સએપ એ પોતાની એપમાં શરતો અને ગોપનીયતા નીતિને અપડેટ કરી છે. તેમાં મહત્વપૂર્ણ તે છે કે, વોટ્સએપ યૂઝર્સના ડેટાનો ઉપયોગ કરશે અને તે પોતાની મૂળ કંપની ફેસબુક સાથે આને શેર કરશે. પ્લેટફોર્મનો ઉપયોગ ચાલું રાખવા માટે યૂઝર્સને તે વાતોનો સ્વીકાર કરવા માટે 8 ફેબ્રુઆરી 2021નો સમય આપવામાં આવ્યો છે. જો શરતો માનવામાં આવશે નહીં તો વોટ્સએપનો ઉપયોગ કરી શકાશે નહીં.

ટ્વિટર પર પણ લોકોએ વોટ્સએપની નવી જાહેરાત પર નારાજગી વ્યક્ત કરી છે, અને સરકારને હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી રહી છે. વોટ્સએપનું બહિષ્કાર કરવાની મુહિમ પણ ચાલી રહી છે. દુનિયાભરમાં વોટ્સએપનો સૌથી વધારે ઉપયોગ ભારતમાં જ થઈ રહ્યો છે. દર મહિને વોટ્સએપના એક્ટિવ યૂઝર્સની સંખ્યા 40 કરોડથી વધારે છે. કેટલાક લોકોનું તેવું પણ કહેવું છે કે, તેમને આ નવી નીતિથી કંઈ જ ફરક પડતો નથી કેમ કે, આજકાલ બધાના જીવન પર મોનિટરિંગ એક સામાન્ય વાત બની ગઈ છે અને હવે દરેક ડિવાઈસ અથવા એપમાં કોઈને કોઈ રીતે ડેટાનું મોનિટરિંગ થઈ રહ્યું હોય છે.
