February 5, 2026
ગુજરાત

નરોડામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ

આજ રોજ નરોડા વિસ્તારમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત કાર્યલય પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા .

 

શુભારંભ નિમિતે નરોડા વોર્ડના એમ.એલ.એ શ્રી બલરામ થવાણી, કુબેરનગર ના કોર્પોરેટર શ્રી ગિરિવરસિંહ શેખાવત, ભારત વિકાસ પરિષદ નરોડા શાખાના પ્રમુખ શ્રી ડો. હસમુખભાઈ પ્રજાપતિ અને સામાજીક સદભાવ ના પ્રમુખ શ્રી રઘુનાથ સવસાનીજી ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સંબોધતા જણાવ્યું હતું કે શ્રી રામજી નું ભવ્ય મંદિર નિર્માણ કરવાનું કામ શરૂ થઇ ચૂક્યું ચુ અને તેમાં દેશના દરેકએ દરેક નાગરિક નો મંદિર બનવવામાં ફાળો રહે અને જ્યારે પણ મંદિરે દર્શને જાય ત્યારે ગર્વ થી એવો અહેસાસ થવો જોઈએ કે આ મંદિરના નિર્માણમાં મારો પણ ફાળો રહેલો છે

આજના કાર્ય ક્રમમાં નરોડા વિધાનસભા ના એમ.એલ.એ શ્રી બલરામ થવાણી એ એક લાખ અગિયાર હજારનું દાન કર્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન રહેલું છે કે આ મંદિરના નિર્માણ માં દેશમાં એક એક ઘરનો એક એક જણ નો ભાગ રહેલો હોવો જોઈએ માટે આજે મે પણ યોગદાન આપ્યું છે અને આપ શ્રી થી પણ અપીલ છે કે આ મંદિરના ભવ્ય નિર્માણમાં સહયોગ અને સાથ સહકાર આપશો,

 

ગિરિવરસિંહ શેખાવત એ જણાવ્યું હતું કે આ મંદિર માં જ્યારે પણ આપણા બાદ આપણી પીડી મંદિરના દર્શને જાય ત્યારે તેમને એવું લાગતું જોઈએ કે મારા પૂર્વજોનું પણ આ મંદિરના નિર્માણમાં યોગદાન રહેલું છે માટે જ્યારે પણ રામ ભક્ત આપના ત્યાં આવે ત્યારે આપણી યથા શક્તિ અને ભક્તિ પ્રમાણે દાન આપજો.

Related posts

ચેતન રાવલજીને જન્મ દિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

ધોરણ ૧૨ અને કોલેજના અંતિમ વર્ષના પરિણામ આવ્યા બાદ ફરી પોલીસ ભરતીના ફોર્મ ભરવાની તક આપવામાં આવશે.

Ahmedabad Samay

ખાખીની ખુમારી આવી સામે, પતંગની દોરી વાગતા ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને પોલીસે બાઇક પર બેસાડી તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયું

Ahmedabad Samay

કલેકટર કચેરી ખાતે કોરોના મૃતકના સહાય ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

Ahmedabad Samay

વીર છત્રપતિ શિવાજી મહારાજની જ્યંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું

Ahmedabad Samay

જનતા હજુ નહિ સુધરે તો નરોડના હિતેન્દ્ર રાઠોડ જેવા કોરોના વોરિયર જીવ ગુમાવતા રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો