March 23, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રદીપસિંહ જાડેજાએ આરંભ કર્યો

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો આરંભ કરાવતા  ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોવીડ મહામારી સામે વિજય પ્રાપ્ત કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે.

સમાજના અગ્રણી ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ  કુશવાહ અને સરસપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર  દિનેશસિંહ કુશવાહના સંયુક્ત પ્રયાસોથી  કાર્યરત કરવામાં આવેલ  સંત  કબીર કોવિડ કેર સેન્ટર માટે ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

સંત કબીર  કોવિડ કેર સેન્ટરમા ૩૦ ઓક્સિજન બેડ અને ૨૦ સામાન્ય બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક તબીબ, નર્સિંગ સ્ટાફ, કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં તહેનાત રહેશે. સારવાર મેળવી રહેલા દર્દીઓને ભોજનની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવશે
કોવીડ કેર સેન્ટરના શુભારંભ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સરસપુર મતવિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર દિનેશભાઈ કુશવાહ, ભાસ્કરભાઈ ભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

રાજ્યભરમાં આગામી પાંચ દિવસમાં ત્રણ ડિગ્રી સુધી ગરમીનો પારો વધી શકે છે

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2023નું ઉદ્દઘાટન કર્યુ,જાણો ફલાવર શો વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં,મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે

Ahmedabad Samay

અમદાવાદ: થલતેજ-શીલજ બ્રિજ નીચે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, વીડિયો વાયરલ

Ahmedabad Samay

ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પરનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું “SHAKHTI” સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે

Ahmedabad Samay

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો