May 8, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રદીપસિંહ જાડેજાએ આરંભ કર્યો

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો આરંભ કરાવતા  ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોવીડ મહામારી સામે વિજય પ્રાપ્ત કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે.

સમાજના અગ્રણી ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ  કુશવાહ અને સરસપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર  દિનેશસિંહ કુશવાહના સંયુક્ત પ્રયાસોથી  કાર્યરત કરવામાં આવેલ  સંત  કબીર કોવિડ કેર સેન્ટર માટે ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

સંત કબીર  કોવિડ કેર સેન્ટરમા ૩૦ ઓક્સિજન બેડ અને ૨૦ સામાન્ય બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક તબીબ, નર્સિંગ સ્ટાફ, કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં તહેનાત રહેશે. સારવાર મેળવી રહેલા દર્દીઓને ભોજનની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવશે
કોવીડ કેર સેન્ટરના શુભારંભ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સરસપુર મતવિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર દિનેશભાઈ કુશવાહ, ભાસ્કરભાઈ ભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

સૈજપુર ખાતે આવેલ કુબેરેશ્વ મહાદેવ મંદિરે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરતી થીમ પર ડેકોરેશન કરાયું

Ahmedabad Samay

આજે વધુ એક મહિલાએ સાબરમતીમાં ઝમ્પલાવ્યું, સાબરમતી નદી સુસાઇડ પોઇન્ટ બની રહ્યું છે

Ahmedabad Samay

યોર ઓનરની બીજી વેબ સિરીઝ આવી રહી છે ટૂંક સમયમાં

Ahmedabad Samay

આવ્યો ભાઇ આવ્યો જનતાનો તહેવાર આવ્યો, જનતાનો તહેવાર એટલે ઇલેક્શન

Ahmedabad Samay

તા.૨૬ – ૨૭ બે દિવસ PM મોદી ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટથી ઇન્‍દિરા સર્કલ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્‍ય રોડ શો યોજાશે

Ahmedabad Samay

અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો