અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ પંચગીની રેસીડેન્સીમાં આવેલ બ્રહ્મા કુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ પર ઉજવણી કરવામાં આવી હતી, શિવ,પાર્વતી, કાર્તિક અને ગણેશજીના દર્શન પણ કરાવ્યા હતા.

પ્રોગ્રામમાં બ્રહ્મકુમારી અને કુમારો એ દર્શ કરવા આવતા લોકોને રાજ્યોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને શિવ બાબા , બ્રહ્મા બાબા વિશે લોકોને જાગ્રત કર્યા હતા. આજુબાજુ ના રહીશો અને શિવ ભક્તો એ પણ પ્રદર્શનમાં દર્શન કરી શિવબાબાનું જ્ઞાન લીધું હતું.
