બેન્કોના ખાનગીકરણના વિરોધમાં આજે હડતાળ પાળવામાં આવી છે. જાહેરક્ષેત્રની ૨ બેન્કોના ખાનગીકરણની જાહેરાત થઇ હતી જેને પગલે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને હડતાળનું એલાન આપ્યું છે.

દેશમાંથી ૧૦ લાખ જેટલા બેન્ક કર્મી હડતાળમાં જોડાવાની શકયતા છે. મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસો. પણ હડતાળમાં જોડાશે. ગુજરાતમાં ૫,૦૦૦ બેન્ક બ્રાન્ચો બંધ રહેશે. અને રાજયના ૬૦,૦૦૦ બેન્ક કર્મચારીઓ હડતાળ કરશે. જેને પગલે રૂ. ૨૦,૦૦૦ કરોડના બેન્ક ટ્રાન્ઝેકશન અટકી જશે.

બેન્કોના ખાનગીકરણથી જનતાની ડિપોઝિટ પર જોખમનો દાવો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ૪ વર્ષમાં સરકારે ૧૪ બેંકોનુ વિલીનીકરણ કર્યું છે. ૯ બેન્ક કર્મચારી યુનિયનો હડતાળમાં જોડાશે. બેન્ક કર્મીઓ એન્ટિકોપોર્ટેટાઇઝેશન ડે તરીકે ઉજવશે.
