શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજના 200થી વધુ કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદ મનપા તંત્રે તકેદારીના ભાગરૂપે શહેરના તમામ થિયેટર અને મોલ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અન્ય દિવસોમાં કોરોના માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

આ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂનો સમય પણ વધારી દેવાયો છે. આવતીકાલથી રાતના 9થી સવારના 6 દરમિયાન રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. આગામી હુકમ સુધી આ આદેશ અમલામાં રહેશે.
