અમદાવાદમાં કોરોનાની ભયજનક સ્થિતિ થઇ રહી છે , કોરોનાની બીજી લહેર ટોપ ની ઝપીડ પકડી છે તેવામાં નરોડાના રાધે બંગલો પાસે આવેલ પૂજ્ય શ્રી મોટા હરિ ૐ ગાર્ડના ગેટ પર બહારથી તાળું માર્યું હોવા છતાં લોકો ગાર્ડનમાં ઘૂસીને કોરોના ના નિયમોને ઉલનઘન તો કરી રહ્યા જ છે તેના સાથે સાથે તેવો બંધ ગાર્ડનમાં પ્રવેશી ગેરકાયદેસર અને કાનુન વિરુદ્ધ પણ જઈ રહ્યા છે .
કોરોના ના વધતા જતા કેસને લઈને રાજ્ય સરકારે તમામ બાગ બગીચાને સાવચેતીના પગલે બંધ કરવા માટે નો નિર્ણય કરવામાં આવ્યું હતું, જે પગલે અમદાવાદના તમામ સરકારી બાગ બગીચા પણ બંધ કરી તાળા મારવામાં આવ્યા હતા તેમ છતાં નરોડાના રાધે બંગલો પાસે આવેલ સરકારી બાગ પૂજ્ય શ્રી મોટા હરિ ૐ ઉદ્યાને પણ તાળું મારવામાં આવ્યું હતું છતાં લોકો અહીં ગેરકાયદે રીતે પર પ્રવેશી રહ્યા છે.
કોરોનાની બીજી લહેરના પાછળ આવા ગેર જીમેદાર લોકો પણ છે જેવો ને પોતાનું તો નહીં પણ બીજા નું કે તેમના ઘરમાં રહેતા અન્ય સભ્યોનો પણ ખ્યાલ નથી આવતો કે કોરોના જેવી બીમારી તેમના આ લાપરવાહીના કારણે તેમના ઘર સુધી પણ પોહચી શકે છે.
આવા લોકોજ કોરોના ને ફેલાવવાના સુપર સ્પ્રેડર બને છે અને કોરોના નો ફેલાવો કર છે એટલુંજ નહિ બંધ સરકારી ગાર્ડનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને નીતિનિયમો નો પણ ઉલ્લંઘન કરી રહ્યા છે આવા લોકો સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી અન્ય લોકો પણ જો તેમના જેમ કરવા ઈચ્છતા હોય તો તે ના કરે .
