
તાજેતરમાં કોરોનાની ગંભીર સ્થિતિ જોતા કોરોનાના દર્દીઓ માટે ગઇકાલથી વીએસ હોસ્પિટલ શરૂ કરાઇ છે. અમદાવાદમાં આવેલી વીએસ હોસ્પિટલમાં કોવિડ કેર શરૂ થતાં વિવાદ સામે આવ્યો છે. નરોડાના દર્દીને યોગ્ય સારવાર ન આપવામાં આવતાં દર્દીનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
દર્દીના સગાએ હોસ્પિટલ આરોપ લગાવતા કહ્યું હતું કે વીએસ હોસ્પિટલમાં સ્ટાફ છતાં મે મારા હાથે સાસુને બાપેપપ લગાવ્યું હતું તથા મારા સાસુને મેં જાતે જ ઇંન્જેક્શન આપ્યું હતું. રાત્રે કોવિડ સેન્ટરને સ્ટાફ આરામ ફરમાવે છે પણ સારવાર કરવામાં આવતી નથી. જો સમયસર સારવાર મળી હોત તો મારા સાસુનું મોત ના થાત, આખરે સારવાર ન મળી અને મારા સાસુનું મોત થયું હતું.
સવારે ૮ વાગે મારા સાસુનું મોત થયું છે. ડેડબોડી વાન નથી એમ કહીને હજુ સુધી મૃતદેહ આપતા નથી. ૭ કલાક બાદ હવે ડેડબોડી વાન મળી છે. આમ સતત ઇંજેક્શન, ઓક્સિજન તથા સારવારના અભાવ હોવાનું સામે આવી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ ૧૫ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમને કોવિડ હેલ્થ સેન્ટરની પરવાનગી આપી છે. કોરોના પોઝિટિવ દર્દીઓ માટે વધુ ૨૩૫ બેડ ઉપલબ્ધ કરાયા છે.
