February 5, 2026
ગુજરાતઅપરાધ

વી.એસ હોસ્પિટલ કોરોના દર્દીમાટે શરૂ કરાઇ અને ખરાબ સારવારના વિવાદમાં પણ આવી,

તાજેતરમાં કોરોનાની ગંભીર સ્થિતિ જોતા કોરોનાના દર્દીઓ માટે ગઇકાલથી વીએસ હોસ્પિટલ શરૂ કરાઇ છે. અમદાવાદમાં આવેલી વીએસ હોસ્પિટલમાં કોવિડ કેર શરૂ થતાં વિવાદ સામે આવ્યો છે. નરોડાના દર્દીને યોગ્ય સારવાર ન આપવામાં આવતાં દર્દીનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

દર્દીના સગાએ હોસ્પિટલ આરોપ લગાવતા કહ્યું હતું કે વીએસ હોસ્પિટલમાં સ્ટાફ છતાં મે મારા હાથે સાસુને બાપેપપ લગાવ્યું હતું તથા મારા સાસુને મેં જાતે જ ઇંન્જેક્શન આપ્યું હતું. રાત્રે કોવિડ સેન્ટરને સ્ટાફ આરામ ફરમાવે છે પણ સારવાર કરવામાં આવતી નથી. જો સમયસર સારવાર મળી હોત તો મારા સાસુનું મોત ના થાત, આખરે સારવાર ન મળી અને મારા સાસુનું મોત થયું હતું.

સવારે ૮ વાગે મારા સાસુનું મોત થયું છે. ડેડબોડી વાન નથી એમ કહીને હજુ સુધી મૃતદેહ આપતા નથી. ૭ કલાક બાદ હવે ડેડબોડી વાન મળી છે. આમ સતત ઇંજેક્શન, ઓક્સિજન તથા સારવારના અભાવ હોવાનું સામે આવી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ ૧૫ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમને કોવિડ હેલ્થ સેન્ટરની પરવાનગી આપી છે. કોરોના પોઝિટિવ દર્દીઓ માટે વધુ ૨૩૫ બેડ ઉપલબ્ધ કરાયા છે.

Related posts

બિલ ગેટ્‍સે ગુજરાતના મહેમાન તરીકે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

Ahmedabad Samay

અમદાવાદનો જર્જરીત શાસ્ત્રી બ્રિજ આખરે ભારે વાહન ચાલકો માટે કરાયો બંધ

Ahmedabad Samay

CM ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૨૦૦ બેડની કોઠીયા મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

ઉમણીયાવદર ગામના યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો તલવાર વડે હુમલો

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના રોકેટ ગતિએ,અમદાવાદીઓ ઝપેટમાંન આવી જતા, સાવચેતી રાખો

Ahmedabad Samay

બિપોરજોય આગળ વધતા દરિયો થયો ગાંડોતુર, તેજ ગતિથી પવન અતિભારે વરસાદની આગાહી, લોકોને સુરક્ષિત ખસેડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો