May 8, 2026
ગુજરાત

IMA આંશિક લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવા અપીલ

રાજય સરકારે ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉન શુક્રવાર સુધી લંબાવ્યું છે અને વાવાઝોડાની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ બિન-જરૂરી ધંધાઓ ખોલવા કે કેમ તે અંગેનો નિર્ણય લેશે તેવી શકયતા છે.

પદાધિકારીઓ ડો. કમલેશ સૈનાની અને ડો. મહેન્દ્ર પટેલે પત્રમાં રજૂઆત કરી છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગુજરાતમાં કોવિડ-૧૯ના બીજી લહેરની એન્ટ્રી બાદ કેટલાક દિવસથી કોવિડના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.

‘રાજય સરકારે સમયસર આંશિક લોકડાઉન લાદી દેતા આ શકય બન્યું હતું. જેમાં તમામ બિન-જરૂરી સેવા બંધ રાખવામાં આવી છે અને ઘર બહાર નીકળતા લોકોની સંખ્યામાં પણ દ્યટાડો થયો છે. જેના પરિણામરુપે કોરોનાના કેસ ઘટયા છે.

પદાધિકારીઓએ ચેતવણી આપી કે, ભૂતકાળના અનુભવ મુજબ, આગામી થોડાક દિવસોમાં આંશિક લોકડાઉનમાં રાહત આપવી અથવા હટાવી લેવું તે ભૂલ ગણાશે. ‘જો આમ કરવામાં આવશે તો જે કેસ ઓછા થયા છે તે ફરી વધી જશે. આ સિવાય લોકોના જીવન ગુમાવ્યા સિવાય તેમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ થશે.

Related posts

કુબેરનગર વોર્ડમાં ૧૧૨ નંબરની AMTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવી

Ahmedabad Samay

ગુજરાતી વિષય માં ગુજરાતી માધ્ય ના વિદ્યાર્થીઓ નું પરિણામ નબળુ

Ahmedabad Samay

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

Ahmedabad Samay

કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ડ્રાઈવ, ગેરકાયદેસર પાર્કિંગ મામલે બિલ્ડીંગોને નોટિસો, રોડ પર દબાણો હટાવાયા

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ અને પંચવટી પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો