February 6, 2026
અપરાધદેશ

આંધ્રપ્રદેશ: તીગલમિટ્ટા જંગલ વિસ્તારમાં માઓવાદી અને  ગ્રેહાઉડ્સ દળ વચ્ચે અથડામણ : ૬ ઠાર મરાયા

આંધ્રપ્રદેશના તીગલમિટ્ટા જંગલ વિસ્તારમાં માઓવાદી અને  ગ્રેહાઉડ્સ દળ વચ્ચે અથડામણ : ૬ ઠાર મરાયા

વિશાખાપટ્ટનમ જિલ્લામાં આંધ્ર પ્રદેશ પોલીસની એલીટ ગ્રેહાઉડ્સ સાથે અથડામણમાં પ્રતિબંધીત ભાકપા (માઓવાદી)ના છ સભ્ય માર્યા ગયા છે. ડીજીપી કાર્યાલયમાંથી જાહેર એક જાહેરાત અનુસાર, માર્યા ગયેલા માઓવાદીઓમાં એક સીનિયર નેતા અને એક મહિલા સભ્ય સામેલ છે.

મામ્પા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા તીગલમિટ્ટા જંગલ વિસ્તારમાં ભાકપા (માઓવાદી) અને રાજ્યના નક્સલ વિરોધી દળ ગ્રેહાઉડ્સ વચ્ચે અથડામણ થઇ હતી. પ્રાથમિક સૂચના અનુસાર છ શબ જપ્ત કરવામાં આવ્યા છે.

ઘટનાસ્થળેથી એક એકે-47, એક એસએલઆર, એક કાર્બાઇન, ત્રણ 303 રાઇફલ અને એક તમંચો જપ્ત કરવામાં આવ્યો છે. વિસ્તારમાં તપાસ અભિયાન ચાલી રહ્યુ છે.

આ પહેલા 11 જૂને ઓરિસ્સાના બારગઢ જિલ્લામાં સુરક્ષાકર્મીઓ સાથે અથડામણમાં પ્રતિબંધિત સંગઠન ભાકપા (માઓવાદી)ના એક સભ્યને ઠાર મારવામાં આવ્યો હતો. પશ્ચિમી રેન્જના આઇજી નરસિંહ ભોલે જણાવ્યુ કે બારગઢના ઝીલ આરક્ષિત વન વિસ્તારમાં નક્સલીઓની ગતિવિધિની ખબર પડી હતી. અથડામણમાં માર્યા ગયેલા માઓવાદીની ઓળખ ભાકપા (માઓવાદી)ની સંભાગીય સમિતીના સભ્ય રવીન્દ્ર તરીકે થઇ છે, તેમણે જણાવ્યુ કે રવીન્દ્ર છત્તીસગઢનો હતો. છત્તીસગઢને રવીન્દ્ર પર સાત લાખ રૂપિયા અને ઓરિસ્સા સરકારે પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યુ હતું. તે હત્યા સહિત કેટલાક ગુનામાં સામેલ હતો

Related posts

અમદાવાદ-ચાંદખેડામાં જુગારધામ ઝડપાયું, સ્ટેટ મોનિટરીંગ ટીમે 2.41 લાખનો મુદામાલ કર્યો જપ્ત

Ahmedabad Samay

નરોડામાં “આર્મી મેન”ના બહુ ચર્ચિત કેસમાં આર્મી મેનને આગોતરા જામીન મેળવવા માટે વલખા મારવા પડ્યા

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓ વિશ્વ ધરોહર બન્યા, જાણો ૧૨ કિલ્લા વિશે માહિતી

Ahmedabad Samay

નારોલમાં બે પાડોશી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો.

Ahmedabad Samay

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી ગુડડુ યાદવને ફાસીની સજા ફટકારી

Ahmedabad Samay

ધ કશ્મીર ફાઇલ દ્વારા કશ્મીરી પંડિતો પર ગુજરેલી સત્ય ઘટનાઓ ઉજાગર કરી લોકો સમક્ષ લાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો