February 5, 2026
રમતગમત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝમાં સ્ટેડિયમ ૧૦૦ ટકા ક્ષમતાથી ભરી શકાશે

New up 01

બોરિસ જોનસન

“બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કોરોનાને લગતા પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ વખતે પણ લોકોને સ્ટેડિયમમાં આવવાની છુટ આપવામાં આવી હતી. જોકે મેદાનમાં ૪૦૦૦ દર્શકોને જ પરવાનગી અપાઈ હતી.

જોકે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝમાં સ્ટેડિયમ ૧૦૦ ટકા ક્ષમતાથી ભરી શકાશે. ઈંગ્લેન્ડના પેસ બોલર સ્ટુઅર્ટ બ્રોડે આ જાણકારીને શેર કરવા માટે બ્રિટનના દર્શકોની બાર્મી આર્મીની એક વિડિયો ક્લિપ શેર કરી હતી. બ્રોડે કહ્યુ હતુ કે, ૧૯ જુલાઈથી કોવિડના પ્રતિબંધ સમાપ્ત કરવામાં આવી રહ્યા છે. ટેન્ટબ્રિજમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલો મુકાબલો યોજાશે. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ભારતને એક પ્રેક્ટિસ મેચ રમવા માટેનુ આયોજન કર્યુ છે. ૨૦ થી ૨૨ જુલાઈ વચ્ચે ટીમ ઈન્ડિયા એક મેચ રમશે. જોકે આ મેચ કોની સામે રમાવાની છે તે હજી જાહેર કરવામાં આવ્યુ નથી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝનો પ્રારંભ ૪ ઓગસ્ટથી ટેન્ટ બ્રિજ ખાતે યોજાશે

Related posts

વિરાટ કોહલીએ ઈન્ટરનેશલ કરિયરની 83મી સદી ફટકારી ઇતિહાસ રચ્યો

Ahmedabad Samay

ચેમ્‍પિયન્‍સ ટ્રોફીના સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્‍ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં પોહચ્યું

Ahmedabad Samay

સેમી ફાઈનલ જીત સાથે ભારત ફાઈનલમાં આવ્યું,ભારતે ૨૦૧૯ની હારનો બદલો લીધો

Ahmedabad Samay

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આખરે 52 વર્ષના લાંબા ઇંતજારનો અંત લાવયો, પ્રથમવાર ODI વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો

Ahmedabad Samay

RR vs PBKS Highlights: પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને પાંચ રનથી હરાવ્યુ, નાથન એલિસની ચાર વિકેટ

Ahmedabad Samay

IPL 2023 Qualifier 2: ગુજરાત સામેની મેચમાં મુંબઈની નજર ફાઈનલ પર રહેશે, જાણો બંને ટીમોના હેડ ટુ હેડ આંકડા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો