February 5, 2026
ગુજરાત

સોમવારથી ૦૯ થી ૧૧ ધોરણના વર્ગો શરૂ

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રી  વિજયભાઈ  રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી  કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તદઅનુસાર  સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ  જુલાઈ  2021 થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે
આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે.
શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનુંસંમતિપત્રક પણ લાવવાનું રહેશે
આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો છે

New up 01

 

Related posts

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

Ahmedabad Samay

GST કાઉન્‍સિલની ૫૬મી બેઠકમાં ૧૨ ટકા GST સ્‍લેબ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે, મધ્યમવર્ગના લોકોને થશે ફાયદો

Ahmedabad Samay

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

Ahmedabad Samay

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર રસ્તે બાખડી પડે અને વાહનચાલકો અથવા રમતા બાળકોને અડફેટે લેતો મોત થતા હોવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે

Ahmedabad Samay

બાળ રિમાન્ડ ગૃહમાંથી છૂટયા બાદ કિશોરી પર દુષકર્મ ગુજાર્યું

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ શાયોના પ્લાઝા ઉપર લાગેલ મોબાઈલ ટાવર માંથી મશીન તૂટી પડ્યું, જાનહાની ટળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો