May 12, 2026
ગુજરાત

ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર

કોરોનાની ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર છે. બીજી લહેરમાં કોરોનાએ મચાવેલાં આતંકને પગલે મૃતદેહોના ઢગલા થયા હતા. રાજકોટમાં પણ કોરોનાએ કાળો કેર વર્તવ્યો હતો અને મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં 24 કલાકનું વેઇટિંગ કોઈ ભુલ્યું નથી. ત્યારે આ પરિસ્થિતિ ન સર્જાઈ એવું જ બધા ઇચ્છી રહ્યા છે.

કદાચ ત્રીજી લહેર આવે તો શું અને તેમાં જો લોકોનાં મૃત્યુ થાય તો મૃતદેહોને 24-24 કલાક સુધી અંતિમ સંસ્કાર માટે રાહ ન જોવી પડે એ માટે રાજકોટના બાપુનગર સ્મશાન ગૃહમાં તૈયારીઓ કરવામાં આવી છે. અંતિમ સંસ્કાર માત્ર ઇલેક્ટ્રિક ભઠ્ઠી અને લાકડા વિભાગ માટે લાકડાનો સ્ટોક કરવામાં આવ્યો છે. તો મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે 9 ખાટલાં પણ તૈયાર રાખવાં આવ્યા છે.

સુરતમાં પણ સ્મશાન ભૂમિના સંચાલકો પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેન્ટેન્સની સાથે સ્મશાન ચાલુ છે. કુરુક્ષેત્ર સ્મશાનમાં 6 ભઠ્ઠી હતી. વધારાની ત્રણ નવી બનાવમાં આવી છે. 800 ડિગ્રી પહોંચી વળે તેવા પતરાનો ચીમની માટે ઉપયોગ કરાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સતત ભઠ્ઠીઓ ધમધમતાં પીગળી જવાના કિસ્સાઓ પણ નોંધાયા હતા.

કોરોના મહામારીની બીજી વેવમાં લાખો લોકો સંક્રમિત થયા અને હજારો લોકો કોરોનાથી મોતને ભેટ્યા. સમગ્ર દેશ સહિત વડોદરાના સ્મશાનોમાં પણ ચિતાઓ માટે 3 થી 8 કલાકનું વેઈટિંગ જોવા મળ્યું હતું. પરંતુ

જ્યારે ઓગસ્ટ મહિનાના અંતમાં થર્ડ વેવનો પ્રારંભ થશે તેવી આગાહીઓને પગલે વડોદરાના સ્મશાનોમાં ચિતાઓ વધારવામાં આવી તો રહી છે અને સાથે લાકડાઓનો જથ્થો પણ 10 ગણો વધારે કરી દેવાયો છે. કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાનની વાત કરીએ તો અગાઉ અહીં 14 ચિતાઓ જ હતી તે વધારીને 30 કરી દેવાઈ છે અને અત્યારથી જ લાકડાનો સ્ટોક વધારી દેવાયો

New up 01

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay

બંગાળમાં ઇલેક્શન બાદ ફાટી નીકળેલ હિસ્સા પર અખિલ વિશ્વ હિન્દુ એકતા મચે કરી લાલઆંખ,રાષ્ટ્રપતિ શાસન ની કરી માંગ

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીના વિરોધમાં અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા રિક્ષા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું

Ahmedabad Samay

શાહીબાગ પોલીસ કમિશનર કચેરી પાછળ જ ધમ ધમે છે જુગરધામ, સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી

Ahmedabad Samay

કેદારનાથ : હેલિકોપ્‍ટર ક્રેશ ની મોટી દુર્ઘટના બની, દુર્ઘટનામાં ભાવનગરની ૩ યુવતીઓ સહિત ૭ ના મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો