June 24, 2026
ગુજરાત

કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્‍ટ લગભગ ‘અજેય’ છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે

કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્‍ટ લગભગ ‘અજેય’ છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે. સરકારના એક ટોચના નિષ્‍ણાંતે આ બાબત જણાવી છે. તેમણે ભારપૂર્વક કહ્યુ છે કે કોવિડ હવે એક ભયાનક બિમારી નથી. નવા સ્‍ટ્રેનની અસર ઘણી ઓછી છે અને ઘણા ઓછા લોકોને જ હોસ્‍પીટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. આઈસીએમઆરના નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ એપીડેમીયોલોજીમાં વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના વડા ડો. જયપ્રકાશ મુલીયિલએ કહ્યુ છે કે ઓમિક્રોન એવી બિમારી છે જેને આપણે નિપટી શકીએ છીએ. આપણા લોકોમાંથી ઘણાને એ પણ ખબર નહી પડે કે આપણે તેનાથી સંક્રમિત થઈ ગયા છીએ.

સંભવતઃ ૮૦ ટકાથી વધુને એ પણ ખબર નહી પડે કે એ અમને ક્‍યારે થયો હતો ? તેમણે કહ્યુ છે કે કોરોનાના ઓમિક્રોન વેરીયન્‍ટને રોકવો અસંભવ છે અને આખરે તે સમગ્ર દુનિયાને સંક્રમિત કરીને જ રહેશે.

ડો. મુલિયિલે એમ પણ જણાવ્‍યુ છે કે ઓમિક્રોન વેરીયન્‍ટને ફેલાતો રોકવા માટે વેકસીનનો બુસ્‍ટર ડોઝ પણ કામ આવે તેમ નથી એટલે કે તે રોકી શકે તેમ નથી.
આઈસીએમઆરના નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ એપીડેમિયોલોજીના વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના વડા આ ડોકટરે એનડીટીવી સાથેની વાતચીતમાં એવુ કહ્યુ હતુ કે, હવે કોરોના ખતરનાક નથી કારણ કે તેનો નવો સ્‍ટ્રેન નબળો છે અને હોસ્‍પીટલમાં દાખલ થવાની પણ જરૂર નથી. તેમણે કહ્યુ છે કે હવે આ એવી બિમારી છે જેને આપણે નિપટી શકીએ તેમ છીએ. તે ડેલ્‍ટાની સરખામણીમાં ઘણો માઈલ્‍ડ(હળવો) છે અને તેને રોકવાનું વ્‍યવહારીક રીતે અસંભવ છે.
ડો. જયપ્રકાશે  વધુમાં જણાવ્યું હતુ કે આ સંક્રમણથી શરીરમાં આવતી ઈમ્‍યુનીટી જીવનભર રહેશે અને આ જ કારણ છે બાકી દેશોની જેમ ભારત ખરાબ રીતે અસરગ્રસ્‍ત નથી બન્‍યુ. તેમણે કહ્યુ હતુ કે જ્‍યારે વેકસીન આવી પણ નહોતી ત્‍યારે ભારતની ૮૫ ટકા વસ્‍તી સંક્રમિત થઈ ચૂકી હતી એટલે વેકસીનનો પહેલો ડોઝ જ બુસ્‍ટર ડોઝ હતો.
આકરા લોકડાઉન બાબતે તેમણે કહ્યુ હતુ કે આપણે લાંબા સમય સુધી ઘરમાં બંધ ન રહી શકીએ.

New up 01

Related posts

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ૦૯ મેં ના રોજ રાત્રે ૦૯ વાગે,૦૯ દિવા પ્રગટાવી વીર મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી ઉજવવા અપીલ કરી

Ahmedabad Samay

અમદાવાદમાં દિલ્હીની બે ટ્રાંસજેન્ડર મહિલાઓની યુવકોને ડેટીંગ એપ પર ફસાવી લૂંટની માયાજાળ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કુમકુમ સ્કૂલ, મણિનગર ના વિદ્યાર્થીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ આપવામાં આવી

Ahmedabad Samay

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર્સ

Ahmedabad Samay

ખાનગી લેબોરેટરીમાં હવે ૨૫૦૦રૂ.માં થશે કોરોના ટેસ્ટ

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા બાપુનગરના ઉમેદવાર તરીકે સુરેશ તોમરની પસંદગી કરાઇ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો