August 7, 2026
ગુજરાત

૧૨ સાયન્‍સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આવતીકાલે વેબસાઇટ ઉપર જાહેર થશે.

ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો. ૧૨ સાયન્‍સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આવતીકાલે વેબસાઇટ ઉપર જાહેર થશે.

માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્‍સ અને ગુજકેટ બોર્ડ પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે ૧૦ વાગ્‍યે પ્રસિદ્ધ કરાશે. આ અંગે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ ટ્‍વીટ કરીને માહિતી આપી હતી. આ પરિણામ બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જોઇ શકાશે.

ગુજરાતમાં કુલ ૧ લાખ ૮ હજાર વિદ્યાર્થીઓએ ૧૨ સાયન્‍સની પરીક્ષા આપી હતી.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ સાયન્‍સના પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે હવે માત્ર ધો.૧૨ કોમર્સના થોડા પેપર ચકાસવાના બાકી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થઇ જશે ત્‍યારબાદ તબક્કાવાર સૌથી પહેલા ધો.૧૨ સાયન્‍સ, ત્‍યારબાદ ધો.૧૦ અને છેલ્લે ધો.૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડની પરીક્ષા દર વર્ષ કરતા આ વર્ષે માર્ચ મહિનાના અંતમાં એટલે કે ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. મૂલ્‍યાંકન ધો.૧૨ સાયન્‍સ અને ધો.૧૦ના પેપર ૧૧ એપ્રિલથી જયારે ધો.૧૨ સામાન્‍ય પ્રવાહના પેપર ૧૩ એપ્રિલથી ચકાસવાનું શરૂ કરી દેવાયું હતું. બોર્ડની ઉત્તરવહી મૂલ્‍યાંકનની કામગીરીમાં સૌ પ્રથમ ધોરણ ૧૨ સાયન્‍સની મૂલ્‍યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી.

Related posts

શુ આપને ખબર છે શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ વિશે ?

Ahmedabad Samay

જુહાપુરામાં વહેલી સવારે આગ લાગતા ૧પ દુકાનોમાં ભારે નુકશાન

Ahmedabad Samay

અમદાવાદ: તમારી ખાનગી બોટને સાબરમતી પર લઈ જવા માંગો છો? ટૂંક સમયમાં મળશે ડૉક

Ahmedabad Samay

સીએમઓ ઓફિસર તરીકે ઓળખ આપનાર ઠગ પકડાયો, સાયબર ક્રાઈમે કરી કાર્યવાહી

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ભાજપ નેતાઓ નો જનતા દ્વારા ઉગ્ર વિરોધ

Ahmedabad Samay

સ્કૂલની બેદરકારી આવી સામે,ઠક્કર બાપાનગર વિસ્તારમાં આવેલી રઘુવીર સ્કૂલનો ગુમ થયેલો વિદ્યાર્થી ગઈકાલે મોડી રાત્રે એક વાગે કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી મળી આવ્યો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો