June 10, 2026
ગુજરાત

પાટડી તાલુકાના સાવડા ગામના ખેડૂતના ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સાવડા ગામના ખેડૂતના ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો., અને આ આગની ઘટનામાં રૂ. 3 લાખની કિંમતનું 60 મણ જીરૂ, પ્લાસ્ટિકની તાડપત્રી 4 અને શીંગડા પાઇપ નંગ- 7 મળી કુલ રૂ. 3,18,500નો મુદામાલ બળીને ખાખ થઇ જતા ખેડૂત પાયમાલ બન્યો હતો.

…આ આગની ઘટનાની પ્રાપ્ત વિગતાનુસાર પાટડી તાલુકાના સાવડા ગામે વણકર વાસમાં રહેતા ખેડૂત ગણેશભાઇ મુળજીભાઇ રાઠોડ ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમણે પોતાના પાંચ વિઘાના ખેતરમાં રવિપાક તરીકે જીરાનું વાવેતર કર્યું હતુ. જેમાં સાવડા ગામની સીમમાં નવા તળાવ પાસે મુળાસરૂ નામે ઓળખાતા ખેતરમાં વાવેલુ જીરૂ પાકી જતાં મજૂરો મારફતે જીરાનો પાક ઉપાડવામાં આવ્યો હતો. અને આ જીરૂ ખેતરમાં પ્લાસ્ટિક પાથરી છોડવા સહિત પાથરેલું હતુ. અને આ જીરાને થ્રેસરમાં કઢાવવાનું બાકી હતુ. અને માવઠાની આગાહીના પગલે જીરાના ઢગલા પર પ્લાસ્ટિકની તાડપત્રી પણ ઢાંકી દેવામાં આવી હતી અને સાવડાના ખેડૂત ગણેશભાઇ મુળજીભાઇ રાઠોડ જીરાની દેખરેખ માટે બે રાત્રી રોકાણ પોતાના ખેતરમાં કર્યું હતુ. અને ત્રીજા દિવસે તેઓ પોતાના કાકા અમરાભાઇના ખેતરે જીરૂ વાઢતા હોય મજુરી કામ અર્થે ગયા હતા. અને ત્યાંથી બપોરે જમીને ખેતરે જતાં ખેતરમાં જીરામાં ઢગલામાં આગ લાગતા જીરૂ સળગતું હતુ. અને મોટાભાગનું જીરૂ બળી ગયું હતુ. ખેતર આજુબાજુમાં ક્યાંય પાણીની વ્યવસ્થા ન હોઇ 60 મણ જીરૂ ખેડૂતની આંખ સામે પળવારમાં બળીને ખાખ થઇ ગયું હતુ. સાવડા ગામના ખેડૂત ગણેશભાઇ મુળજીભાઇ રાઠોડના ખેતરમાં લાગેલી આગમાં રૂ. 3 લાખની કિંમતનું 60 મણ જીરૂ, રૂ. 14,000ની કિંમતની પ્લાસ્ટિકની તાડપત્રી 4 અને રૂ.4500ની કિંમતના પાણી પાવા માટેના પ્લાસ્ટિકના ટોટા શીંગડા પાઇપ નંગ- 7 મળી કુલ રૂ. 3,18,500નો મુદામાલ બળીને ખાખ થઇ જતા ખેડૂત પાયમાલ બન્યો હતો. આ બનાવ અંગે સાવડા ગામના ખેડૂત ગણેશભાઇ મુળજીભાઇ રાઠોડે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીએસઆઇ ડી.એલ.પરમાર ચલાવી રહ્યાં છે.
ઉદ

Related posts

ગોપાલ ઇટાલિયાએ સહાનુભૂતિ મેળવવા માટે તેમણે પોતાની વૃદ્ધ માતાનો રાજકીય ઢાલ તરીકે ઉપયોગ કરવાની વાત આ વાયરલ ઓડિયો ક્‍લિપમાં સ્‍વીકારી

Ahmedabad Samay

શાળામાં આવતા વિદ્યાર્થીને કોરોના થાય તો સંચાલક જવાબદાર નહી:સ્કૂલ મેનેજમેન્ટ

Ahmedabad Samay

ધ ગ્રેટ ખલી બન્યા જીમ લૉન્જ ના બ્રેન્ડેમ્બેસેટર

Ahmedabad Samay

અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દલ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે ત્રણ ઓવરબ્રિજ નું ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો