June 22, 2026
ગુજરાતજીવનશૈલી

ગુજરાતમાં કોરોનાના સક્રીય કેસો 700ને પાર, 19 દિવસમાં 1000થી વધુ કેસો નોંધાયા

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની કુલ સંખ્યા 700ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા સાત દિવસમાં વધુ કેસ સામે આવ્યા છે જ્યારે છેલ્લા 19 દિવસમાં 1000થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે 100થી પણ વધુ કેસો નોંધાઈ રહ્યા છે. રવિવારે 134 નવા દર્દીઓ કોરોનાના નોંધાયા હતા. દેશમાં ગુજરાતમાં સૌથી ઝડપથી દર્દીઓમાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસોમાં 207 ટકાનો વધારો થયો છે.

હોળીના તહેવાર પછી કોરોનાના કેસમાં વધારો થાય છે. રાજ્યમાં બદલાયેલા હવામાનને કારણે શરદી-ખાંસી અને ફ્લૂના કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં સૌથી વધુ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જો કે, મોટાલિટી રેસીયો અન્ય અગાઉ કોરોનાની લહેરની સરખામણીએ નહીંવત જેવો છે. જેથી લોકોમાં ભય પણ ઓછો છે પરંતુ સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે.

રવિવારે 134 નવા કોરોના દર્દીઓ મળ્યા બાદ સક્રિય કેસની કુલ સંખ્યા 740 પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે 14 ઓક્ટોબરે રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 754 હતી. આવી સ્થિતિમાં રાજ્યમાં કોરોના કેસની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં ગઈકાલની સ્થિતિએ હાલ પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદ શહેરમાં 70 દર્દીઓ સામે આવ્યા હતા. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. ફરી કોરોના સંક્રમણ વધવાને કારણે  લોકોએ કોરોનાની રસી લઈ રહ્યા છે. આંકડાઓ અનુસાર, રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 11047 લોકોના મોત થયા છે.

Related posts

મહિલા ઉન્નતિ સંસ્થા ગુજરાત પ્રદેશની ટીમે દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ખાસ કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

ખંભાત નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ પડ્યું,સત્તાપક્ષના 22 સભ્યમાંથી ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરે રાજીનામાં આપતાં ખળભળાટ. 

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બે પ્રેમીઓ એ ગળે ફાસો ખાઈ કરી આત્મહત્યા

Ahmedabad Samay

રાજ્યમાં ૦૯ આઇ.એ.એસ. ની બદલી

Ahmedabad Samay

ધ્યાન થી નુકસાન. શુ ધ્યાન થી નુકશાન ? આવો જાણીએ ધ્યાનથી કેવી રીતે નુકશાન થાય છે. (સ્પીકર : વિજય કોતાપકર)

Ahmedabad Samay

મગજની શક્તિ નું રહસ્ય ” મગજ ની શક્તિ” ( પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો