August 25, 2026
અપરાધ

અમદાવાદ: તિસ્તા સેતલવાડ કેસ: આરોપીઓ હાજર ન રહેતા કોર્ટે જારી કર્યું ફરમાન, 100થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ!

વર્ષ 2002ના થયેલા રમખાણો માટે ગુજરાત સરકારને બદનામ કરવાના કેસ (તિસ્તા સેતલવાડ કેસ)માં વિશેષ કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયામાં હાથ ધરવામાં આવી હતી. જો કે, આ દરમિયાન કોર્ટમાં તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ત્રણેય આરોપીઓ ગેરહાજર રહ્યા હતા આથી કોર્ટે ટકોર કરી છે. વિશેષ કોર્ટે કહ્યું  હતું કે, તમે કોર્ટની અવગણના ન કરો, ગુનો જેટલો ગંભીર છે તેટલી જ ચાર્જફ્રેમ પ્રક્રિયા પણ મહત્ત્વની હોય છે.

આ સાથે જ વિશેષ કોર્ટે  તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ત્રણેય આરોપીઓને કોર્ટમાં ફરજિયાત હાજર રહેવાનું ફરમાન જારી કર્યું છે અને કહ્યું છે કે, હવે ચાર્જફ્રેમની પ્રક્રિયામાં વધુ વિલંબ નહીં ચલાવી લેવામાં આવે. જણાવી દઈએ કે, આ કેસની વધુ સુનાવણી 17 મેના રોજ હાથ ધરવામાં આવશે.

100થી વધુ પેજની ચાર્જશીટ SITએ ફાઈલ કરી 

મળતી માહિતી મુજબ, તિસ્તા સેતલવાડ કેસમાં તાપસ કરી રહેલી ખાસ તપાસ ટીમ એટલે કે એસઆઈટી દ્વારા તિસ્તા સેતલવાડ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તિસ્તા શેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે પણ કેસ ચાલશે. ચાર્જશીટમાં તત્કાલીન સરકારને બદનામ કરવાનું ષડયંત્ર, તિસ્તા સેતલવાડ દ્વારા ખોટા પુરાવા ઊભા કર્યાનો ઉલ્લેખ કરાયો છે. આ કેસનમાં SITએ તિસ્તા શેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે કોર્ટમાં 100થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 30થી વધુ દસ્તાવેજી પુરાવા સામેલ કરાયા છે.

Related posts

અમદાવાદ: ઝઘડો થતા બીજા રૂમમાં સૂઈ રહેલા એન્જિનિયર પતિના ગાલ પર પત્નીએ ચપ્પુ માર્યુ, 24 ટાંકા આવ્યાં

admin

GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના ૦૫ આરોપીની કરાઇ ધરપકડ

Ahmedabad Samay

જનની ની જોડ સખી નહી જડે રે લોલ, આ કહેવત આજે આ હત્યારી માતા માટે ઉંધી સાબિત થઈ છે, સગી માતાએ જ છ વર્ષની માસુમનું ગળું દબાવી દીધું

Ahmedabad Samay

અમદાવાદ – સરખેજ ગાંધીનગર હાઈવે પર 7 મહિનામાં 45 અકસ્માતો થયા, 23ના મોત

Ahmedabad Samay

કરાલી પોલીસે બાતમી આધારે ૫૮,૦૦૦ નો વિદેશી દારૂ ઝડપયો

Ahmedabad Samay

સુરત:કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઇ સહિત ૦૯ પોલીસ કર્મીઓ વિરુદ્ધ લાંચ નો ગુન્હો દાખલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો