June 10, 2026
અપરાધ

અમદાવાદ: તિસ્તા સેતલવાડ કેસ: આરોપીઓ હાજર ન રહેતા કોર્ટે જારી કર્યું ફરમાન, 100થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ!

વર્ષ 2002ના થયેલા રમખાણો માટે ગુજરાત સરકારને બદનામ કરવાના કેસ (તિસ્તા સેતલવાડ કેસ)માં વિશેષ કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયામાં હાથ ધરવામાં આવી હતી. જો કે, આ દરમિયાન કોર્ટમાં તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ત્રણેય આરોપીઓ ગેરહાજર રહ્યા હતા આથી કોર્ટે ટકોર કરી છે. વિશેષ કોર્ટે કહ્યું  હતું કે, તમે કોર્ટની અવગણના ન કરો, ગુનો જેટલો ગંભીર છે તેટલી જ ચાર્જફ્રેમ પ્રક્રિયા પણ મહત્ત્વની હોય છે.

આ સાથે જ વિશેષ કોર્ટે  તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ત્રણેય આરોપીઓને કોર્ટમાં ફરજિયાત હાજર રહેવાનું ફરમાન જારી કર્યું છે અને કહ્યું છે કે, હવે ચાર્જફ્રેમની પ્રક્રિયામાં વધુ વિલંબ નહીં ચલાવી લેવામાં આવે. જણાવી દઈએ કે, આ કેસની વધુ સુનાવણી 17 મેના રોજ હાથ ધરવામાં આવશે.

100થી વધુ પેજની ચાર્જશીટ SITએ ફાઈલ કરી 

મળતી માહિતી મુજબ, તિસ્તા સેતલવાડ કેસમાં તાપસ કરી રહેલી ખાસ તપાસ ટીમ એટલે કે એસઆઈટી દ્વારા તિસ્તા સેતલવાડ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તિસ્તા શેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે પણ કેસ ચાલશે. ચાર્જશીટમાં તત્કાલીન સરકારને બદનામ કરવાનું ષડયંત્ર, તિસ્તા સેતલવાડ દ્વારા ખોટા પુરાવા ઊભા કર્યાનો ઉલ્લેખ કરાયો છે. આ કેસનમાં SITએ તિસ્તા શેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે કોર્ટમાં 100થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 30થી વધુ દસ્તાવેજી પુરાવા સામેલ કરાયા છે.

Related posts

સરદારનગરમાં રાજુ ગેંડી બાદ તેના પુત્ર વિકી ગેંડીનો ત્રાસ,ગત રાત્રે વેપારીને જાનથી મારવાની આપી ધમકી

Ahmedabad Samay

અમદાવાદ: શાહીબાગમાં અજાણ્યા યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ

admin

ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતના બનાવ પર આખરે ન્યાય મળ્યો

Ahmedabad Samay

છોકરીઓ થી હેરાન પરેશાન છે આ દેશના છોકરાઓ

Ahmedabad Samay

કુખ્‍યાત અમેરિકન જાતીય ગુનેગાર જેફરી એપ્‍સટિન સંબંધિત દસ્‍તાવેજો બહાર આવતા વિશ્વભરમાં ખળભળાટ, મોટા મોટા નેતાઓના રાજીમાં આપવાની ફરજ પડી

Ahmedabad Samay

નારોલમાં ૧૧૦ કિલ્લોના ગાંજા સાથે રાણીપના ત્રણ આરોપી ઝડપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો