May 9, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદ: જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈને છરીના 24 ઘા મારી હત્યા કરનાર પિતા, બે પુત્ર, જમાઇ સહિત કુલ 5ને આજીવન કેદની સજા

જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈની છરીના 24 ઘા મારી હત્યા કરવાના કેસમાં પિતા, બે પુત્ર, જમાઇ સહિત 5 આરોપીઓને એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીઓએ વતનમાં હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવવા સરકારમાં અરજી કરી હતી, જેની સામે મૃતકે વાંધા અરજી કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, મૂળ કચ્છના પરષોતમ ધવલ સિંગરવા વડવાળી ચાલીમાં રહે છે. વતન માખેલ ગામે જય રણછોડ જનકલ્યાણ ફાઉન્ડેશનના નામે હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવવા તેમણે સરકારમાં અરજી કરી હતી. જો કે, આ અરજી સામે તેમના કૌટુંબિક ભાઈ પ્રવીણે વાંધા અરજી કરતા સરકારમાંથી જમીન મળી નહોતી. આ વાતની અદાવત રાખીને પરષોતમે પ્રવીણભાઈ અને તેમના સાળા હસમુખને પતાવી દેવા માટે કારસો રચ્યો હતો.

5 આરોપીઓને આજીવન કેદની સજા

અહેવાલ પ્રમાણે, પરષોતમ અને તેના પુત્ર પ્રવીણ ઉર્ફે ભોલો, પત્ની આશાબેન, પ્રતાપ, પુત્રી રશ્મિબેન, જમાઇ સુનિલ અને મહેન્દ્રસિંહે ભેગા મળી કાવતરું રચી પ્રવીણભાઈને કુબેરનગર શાક બજાર પાસે બોલાવ્યા હતા અને ત્યાં તેમની સાથે મારામારી કરી છરીના 24 ઘા મારી પ્રવીણભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. દરમિયાન પ્રવીણભાઈના સાળા પર કાર ચઢાવવાનો પ્રયાસ કરતા સાળા હસમુખને ગંભીર ઇજાઓ થઇ હતી. આ મામલે સરદારનગર પોલીસે 5 આરોપીઓની ધરપકડ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં 5 આરોપીઓને એડિ. સેશન્સ જજ એમ.આર.શાહે આજીવન કેદની સજા ફટકારી છે.

Related posts

જુહાપુરમાં વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં 14 લોકોના કોરોના વાયરસના કારણે મોત

Ahmedabad Samay

કાલથી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦-૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

Ahmedabad Samay

અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરાઈ, આજે કરાશે માં ગૌરીની વિશેષ પૂજા

Ahmedabad Samay

કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સ પર રોક લગાવવા પર હાઈકોર્ટમાં કરેલી અરજી મામલે આજે સુનાવણી

Ahmedabad Samay

અમદાવાદ – રામોલ પોલીસે 37 લાખની કિંમતનું 376 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું

Ahmedabad Samay

અખિલ ભારતીય મહાસભા ટ્રસ્ટની પ્રથમ બેઠનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો