February 6, 2026
ગુજરાત

અમદાવાદ: તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપશે, જાણો કેવી રીતે થશે આયોજન?

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 7 મેના રોજ પંચાયત સેવા વર્ગ-3 સંવર્ગની ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની લેખિત પરીક્ષા યોજાવાની છે. કુલ 3437 જગ્યા પર ભરતી માટે આ પરીક્ષા લેવાશે. માહિતી મુજબ, આ પરીક્ષા માટે 8 લાખ 64 હજાર 400 ઉમેદવારોએ અરજી કરી છે. આથી પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારે ગેરરીતી ન થાય અને પરીક્ષાનું આયોજન સુવ્યવસ્થિત રીતે થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી) તૈયાર કરવામાં આવી છે.

માહિતી મુજબ, તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મ પરીક્ષા માટે સ્ટ્રોંગ રુમથી માંડીને પરીક્ષા ખંડ તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્યના 30 જિલ્લાઓમાં આ સ્પર્ધાત્મ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે ખાસ સમિતિની રચના કરાઈ છે અને સમિતિના અધ્યક્ષ જે તે જિલ્લાના કલેક્ટર રહેશે. આ પરીક્ષાના સંપૂર્ણ આયોજન, વ્યવસ્થા અને સંચાલન માટે જે તે જિલ્લાના કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી તેમ જ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જિલ્લાના શહેરી વિસ્તાર માટે પોલીસ કમિશનર સંયુક્ત રીતે જવાબદાર રહેશે.

પેપરલીકની ઘટનાઓ બાદ તંત્રની ખાસ તકેદારી 

જિલ્લામાં એક કરતા વધુ સ્ટ્રોંગ રુમ હોય એવી જગ્યાએ પરીક્ષા સમિતિના અધ્યક્ષ અલગ-અલગ સ્ટ્રોંગરુમ પર સમિતિના કયા સભ્ય હાજર રહેશે, મટીરીયલ સ્વીકારી અને સીલ કરવાની તથા ડિસ્ટ્રિબ્યુટ કરવાની જવાબદારી સંભાળશે. મહત્ત્વનું છે કે, પેપરલીકની ઘટનાઓ બાદ તંત્ર આ વખતે ખાસ તકેદારી રાખી રહ્યું છે. કોઈ પણ પ્રકારની ગેરરીતી આ પરીક્ષામાં ન થાય તેના માટે ખાસ એસઓપી બનાવવામાં આવી છે.

Related posts

લવ જેહાદ માટે કડક કાનૂન લાગુ કરવા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ તરફથી અમદાવાદ કલેક્ટર શ્રી દ્વારા સી.એમ. વિજય રૂપાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

શહેરમાં કુલ ૧૮૧ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં મુકવામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

Ahmedabad Samay

સુરત બાદ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ભરશે લોક દરબાર, તડામાર તૈયારીઓ

Ahmedabad Samay

અમરવેલી અમરેલીના આંગણે શ્રી કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩નો રંગારંગ શુભારંભ

Ahmedabad Samay

ધોરણ ૧૨ અને કોલેજના અંતિમ વર્ષના પરિણામ આવ્યા બાદ ફરી પોલીસ ભરતીના ફોર્મ ભરવાની તક આપવામાં આવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો