May 11, 2026
ગુજરાત

અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, 21 દિવસનું દિવાળી વેકેશન, જાણો બોર્ડની પરીક્ષા, ઉનાળુ વેકેશન અંગેની માહિતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ આ વર્ષે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. જ્યારે ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. 11 માર્ચ, 2024ના રોજ બોર્ડની પરીક્ષાનો પ્રાંરભ થશે. બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક વર્ષના કેલેન્ડરમાં દિવાળી અને ઉનાળુ વેકેશન, પૂરક પરીક્ષા, પ્રિલિમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.

ઉનાળુ વેકેશન કુલ 35 દિવસનું રહેશે

જણાવી દઈએ કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (GSHSEB) દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2023-2024નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર મુજબ, આ વર્ષે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, 9 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી રહેશે. જ્યારે ઉનાળુ વેકેશન કુલ 35 દિવસનું રહેશે, જે 6 મે, 2024થી શરૂ થશે અને 9 જૂન, 2024 સુધી રહેશે. બોર્ડની પરીક્ષા 11 માર્ચ, 2024થી શરૂ થશે જે 28 માર્ચ 2024 સુધી ચાલશે. જ્યારે શાળાકીય પરીક્ષા 8 એપ્રિલ, 2024થી યોજાશે. શાળાઓનું પ્રથમ સત્ર 5મી જૂનથી શરૂ થશે અને વર્ષ દરમિયાન શાળાઓને 19 જેટલી રજાઓ મળવા પાત્ર રહેશે.

નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે

નવા શૈક્ષણિક વર્ષ 2023-2024ના કેલેન્ડર મુજબ, નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે, જેમાં દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન, જાહેર રજાઓ અને સ્થાનિક રજાઓનો સમાવેશ કરવામાં આવ્યો  છે. જ્યારે બીજા સત્રનો પ્રારંભ 30 નવેમ્બરથી થશે, જે 5 મે, 2024 સુધી રહેશે. ત્યાર બાદ નવું શૈક્ષણિક વર્ષ 2024-2025 10 જૂન, 2024થી પ્રારંભ થશે. શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન કુલ 245 જેટલા કાર્ય દિવસ રહેશે. જ્યારે પ્રથમ સત્ર દરમિયાન 124 જેટલા કાર્ય દિવસ રહેશે. બીજા સત્રની વાત કરીએ તો બીજા સત્ર દરમિયાન કાર્ય દિવસ 127 રહેશે.

Related posts

ભાજપમાં ઉત્તરાયણ પહેલા જિલ્લા-મહાનગરોના નવા પ્રમુખોની નિયુક્તિનો કાર્યક્રમ જાહેર કરાયો

Ahmedabad Samay

કરણી સેના રાજ શેખાવતે ફરી એકવાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવાની માંગનો પુનરોચ્ચાર કર્યો, જે એન્કાઉન્ટર કરશે તેને ૧ કરોડ આપવાની જાહેરાત કરી

Ahmedabad Samay

અમદાવાદ આરોગ્ય વિભાગ ની બેદરકારી,

Ahmedabad Samay

આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં,મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે

Ahmedabad Samay

બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પહેલા મુશ્કેલીઓ વધી.સુરતમાં બે પડકારનો સામનો કરવો પડશે

Ahmedabad Samay

લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ,ટેક્સ રીબેટની મુદત વધારીને 15 જુલાઈ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો