March 4, 2026
ગુજરાત

અમદાવાદ – PMના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અખબારનગરની ઓળખ બનેલી કિતલી 2 વર્ષ બાદ ફરી લોકોને જોવા મળી

નવા વાડજ વિસ્તારમાં વિશાળ કિટલી મુકવામાં આવી છે. PMના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અખબારનગરની ઓળખ આ કિટલી અને તેનું સર્કલ હતું ત્યારે અગાઉ આ કીટલી હટાવી લેવાયા બાદ ફરીથી મુકવામાં આવી છે.

અમદાવાદમાં અખબારનગર સર્કલ હવે કિટલી સર્કલ તરીકે ઓળખાય છે, જો કે, અગાઉ બે વર્ષ પહેલા આ કિટલી અહીંથી હટાવવામાં આવી  હતી પરંતુ હવે ફરીથી મેટ્રોની કામગિરી પૂર્ણ થતા કિટલી સર્કલ ફરીથી શરુ થયું છે અને આ સર્કલની વચ્ચે વિશાળ કિટલી ફરીથી મુકવામાં આવી છે.

ખાસ કરીને આ કિટલી સર્કલ અગાઉ પીએમના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અસ્તિત્વમાં આવ્યું હતું. જેથી આ કિટલી પણ અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. કેમ વાડજથી ચાંદલોડીયા અને શાસ્ત્રીનગરથી આરટીઓ જતા સર્કલ પર આ કીટલી મૂકવામાં આવી છે. જે બહારથી આવતા લોકો માટે વધુ આકર્ષણનું કેન્દ્ર છે. કેમ કે, મોટી કિટલી સર્કલની વચ્ચે મુકવામાં આવી છે.

2 વર્ષ અગાઉ મેટ્રોની કામગિરીના કારણે કિટલી અહીંથી લઈ લેવામાં આવી હતી અને હવે પુનઃ આ કીટલી મુકી દેવામાં આવી છે. એએમસી અને સિલ્વઓક કોલેજના ઉપક્રમે આ કિટલી તૈયાર કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી આ સર્કલ રાબેતા મુજબ શરુ થઈ ગયું છે. જેથી હવે પહેલાની સરખામણીએ ટ્રાફીકની સમસ્યા પણ ઓછી રહે છે.

Related posts

કુબેરનગર વિસ્તારમાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશય થતા ગીતાબા ચાવડાએ તુરંત સમારકામ ચાલુ કરાયું

Ahmedabad Samay

IMA આંશિક લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવા અપીલ

Ahmedabad Samay

એક દેશ, એક ચૂંટણી ભારતમાં અમલી બનાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2023નું ઉદ્દઘાટન કર્યુ,જાણો ફલાવર શો વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

મહેસાણાના ઊંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલનું થયું નિધન

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ઉદ્ઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો