March 28, 2026
ગુજરાત

પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા જેવા ધાર્મિક સ્થળ માટે ચાર્ટડ ફ્લાઇટ શરૂ કરાઇ

અમદાવાદ સ્‍થિત એર ચાર્ટર કંપનીએ ગુજરાત અને તેની આસપાસના ધાર્મિક અને  જોવાલાયક સ્‍થળો માટે સેવાઓની જાહેરાત કરી છે. કંપની એરોટ્રાન્‍સ સર્વિસે જણાવ્‍યું છે કે તે ધોરડોમાં રણ ઉત્‍સવમાં હેલિકોપ્‍ટર જોયરાઇડ્‍સ પણ શરૂ કરશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે પ્રથમ તબક્કામાં પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા માટે ચાર અને છ-સીટર પ્‍લેનમાં રાઉન્‍ડ ટ્રીપ્‍સ શરૂ કરવામાં આવશે.

નાથદ્વારા જવાનો વન-વે સમય ૧ કલાક ૨૫ મિનિટ, પાલિતાણા માટે ૧ કલાક ૧૦ મિનિટ,  સાળંગપુર માટે ૫૦ મિનિટ, સોમનાથ માટે ૧ કલાક ૩૫ મિનિટ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી માટે ૧ કલાક, વડનગર માટે ૩૦ મિનિટ અને નડાબેટ માટે ૫૫ મિનિટનો રહેશે.

કંપની હેલિપેડ પર અને ત્‍યાંથી કાર સેવાઓ પણ આપશે. બીજા તબક્કામાં, વધારાના સ્‍થળો ઉમેરવામાં આવશે જેની મુલાકાત વિમાનો તેમજ હેલિકોપ્‍ટરમાં કરવામાં આવશે.

Related posts

બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે

Ahmedabad Samay

અમદાવાદમાં 2 કિલો ડ્રગ્સ યુપીથી મોકલવામાં આવ્યું હતું, એસઓજી યુપી જઈ આરોપીને પકડશે

Ahmedabad Samay

65 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2.02 કરોડની વધારાની ફી ઉઘરાવી,બે દિવસમાં જ વધારાની ફી પરત આપવા DEOનો આદેશ

Ahmedabad Samay

“મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ”નું આયોજન કરાયું, ગુજરાત ખાતેનો સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ

Ahmedabad Samay

દાસ્‍તાન ઓટોવર્લ્‍ડ’, કઠવાડા ખાતે અમદાવાદીઓ અને કાર પ્રેમીઓ માટે ૨૭ ફેબ્રુઆરી થી ૧ માર્ચ દરમિયાન ‘કાર એન્‍ડ સિનેમા ફેસ્‍ટિવલ’નું આયોજન

Ahmedabad Samay

LLB એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓએ પકોડા તળી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું,તાત્કાલિક અસરથી ગ્રાન્ટેડ કોલેજ શરૂ કરવા માંગ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો