May 12, 2026
ગુજરાત

L.G હોસ્પિટલ પાસે,મણીનગર ખાતે આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળાનું ખુલ્લુ મેદાન ફક્ત રમતગમત હેતુ માટે જ ઉપયોગ કરવા અને જીમનું ખાનગીકરણ અટકાવવા ભારે સૂત્રોચાર કરી તીવ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

એલ.જી.હોસ્પિટલ પાસે,મણીનગર ખાતે આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળાનું ખુલ્લુ મેદાન ફક્ત રમતગમત હેતુ માટે જ ઉપયોગ કરવા અને જીમનું ખાનગીકરણ અટકાવવા ભારે સૂત્રોચાર કરી તીવ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે,

કેન્દ્ર સરકાર એક તરફ ઓલિમ્પિકની તૈયારી કરે છે અને ગુજરાત સરકાર “રમશે ગુજરાત.. જીતશે ગુજરાત” ની મોટી મોટી વાતો કરે છે બીજી તરફ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલ નજીક આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામશાળા ના એક ખુલ્લા મેદાન નો ઉપયોગ રમતગમત હેતુના બદલે અન્ય હેતુ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે આ ખુલ્લા મેદાન ની જમીન કોર્પોરેશનને દાતા દ્વારા દાનમાં મળેલ છે અને તેનો ઉપયોગ ભાવી રમતવીરો તૈયાર થાય તે માટે દાનમાં આપવામાં આવેલ છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન જમીનનો મૂળ હેતુ બાજુએ મૂકીને મેરેજ,રિસેપ્શન,ફટાકડા બજાર, પતંગ બજાર,ખાનગી અને સામાજિક પ્રસંગો વગેરે માટે આપીને રોકડી કરે છે પરંતુ રમતવીર યુવાનો આ મેદાનમાં આવી ને કસરત કરે,દૌડ કરે વ્યાયામ કરે તે કોઈ ઉપયોગ થતો નથી એટલું જ નહીં રમત ગમતનું મેદાન નો ઉપયોગ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ પણ કરતા હોય છે.

તેથી આજરોજ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ મણીનગર યુથ સ્પોર્ટ્સમેન ગ્રુપ ના અગ્રણીઓ શ્રી દેવેન્દ્રસિંહ વાઘેલા,અજય દેસાઈ ની આગેવાની હેઠળ મેદાન ખાતે ભારે સૂત્રોચાર કરી તીવ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકી અવાજે માગણી કરી હતી કે મૂળ હેતુ મુજબ રમત ગમતના મેદાન તરીકે જ તેનો ઉપયોગ થાય આ ઉપરાંત કોર્પોરેશન રમતગમતની સુવિધાઓ પ્રજાના પૈસે વિકસાવીને ખાનગી સંચાલકોને પીપીપી ના ધોરણે મૂકવામાં આવી છે પરિણામે જીમ અને સ્કેટિંગ ની મોટી ફી ના કારણે ગરીબ મધ્યમ વર્ગના યુવાનો તેનો લાભ મળી શકતો નથી આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નીતિ ઘડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

Related posts

બેંક ઓફ બરોડામાં દેખાયો સોસિયલડીસ્ટેન્સ નો અભાવ

Ahmedabad Samay

લોકસભા ની ચુંટણી પહેલા બે નવયુવાનો બ્રિજેશ પરમાર અને હર્ષ સોલંકી એ ૨૦૦ જેટલા નવયુવાનો અને યુવતીઓ કેસરિયો ધારણ કર્યો

Ahmedabad Samay

૬૪ વર્ષ બાદ તા. ૮ અને ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ યોજાનાર કોંગ્રેસનું રાષ્‍ટ્રીય અધિવેશન બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહેશે

Ahmedabad Samay

અમદાવાદને કોંગ્રેસનું કમિટમેન્ટ હેઠળ 15 મુદ્દાઓ સાથેનો મેનિફેસ્ટો જાહેર કર્યા

Ahmedabad Samay

તિસ્તા સેતલવાડ બાદ પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને ગુજરાત રમખાણોના કેસમાં મળ્યા જામીન

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા જુમબેશ ચલાવાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો