August 13, 2026
ગુજરાત

ડીસાના ધર્મેન્દ્ર ફોફાનીને મુંબઈમાં સ્ટાર જીવ સારથી કાનુન રત્ન એવોર્ડ મળ્યો

ડીસાના ધર્મેન્દ્ર ફોફાનીને મુંબઈમાં સ્ટાર જીવ સારથી કાનુન રત્ન એવોર્ડ મળ્યો હતો,ડીસાના વરિષ્ઠ ધારાશાસ્ત્રી ધર્મેન્દ્ર ફોફાનીને મુંબઈના વાનખેડે સ્ટેડિયમના ગરવારે ક્લબ ખાતે રામ નવમીના દિવસે અવતરણ શ્રી રામ કા સમારોહમાં હીરા બજારના મેન ઓફ ધ મિલેનિયમ ભરત શાહ, અગ્રણી બિલ્ડર ભરત કોઠારી, આ સમારોહ નાં આયોજક સ્ટાર રિપોર્ટ મેગેઝિન નાં પ્રધાન સંપાદક હાર્દિક હુંડિયાના હસ્તે સ્ટાર જીવ સારથી કાનૂન રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

હાર્દિક હુંડિયાએ જણાવ્યું કે, ધર્મેન્દ્ર ફોફાનીએ ગુજરાતમાં 8 નોંધાયેલા કતલખાના છે, તે સિવાય નાં કાયદાકીય લડાઈ લડ્યા બાદ તમામ કતલખાનાઓ બંધ કરવાનો આદેશ લાવ્યા છે અને અંદાજિત 4000 કતલખાનાઓ અને માંસની દુકાનોને સીલ કરવામાં આવી છે. કોઈની પાસેથી એક પણ રૂપિયો લીધા વિના આ તમામ કાયદેસરની કાર્યવાહી પોતાના જ પૈસાથી કરનાર જીવદયાપ્રેમી ધર્મેન્દ્ર ફોફાણીનું સન્માન કરવાનો અમૂલ્ય અવસર મને મળ્યો છે
તેમ હાર્દિક હુડીયા એ જણાવ્યું હતું.

ધર્મેન્દ્ર ફોફાણીએ જણાવ્યું હતું કે હવે
ગુજરાત બાદ ભારતભરમાં અનધિકૃત કતલખાના બંધ કરાવવા કાયદાકીય લડાઈ લડવામાં આવશે, જેનાથી કરોડો અબોલ નિર્દોષ જીવો ની હિંસા અટકશે અને પર્યાવરણને થતું નુકસાન પણ અટકશે. અધિકૃત કસાઈ ગૃહોમાં પણ અનેક કાયદાઓ તોડીને નિર્દોષ અબોલ જીવો મારવામાં આવે છે અને તેને બંધ કરાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
ગુજરાતમાં હાઈકોર્ટના આદેશ છતાં જે વહીવટી અધિકારીઓ અનઅધિકૃત હત્યાઓ રોકવામાં ગંભીર નથી તેમની સામે ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્ટાર રિપોર્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બુલિયન કિંગ, પૃથ્વીરાજ કોઠારી, હીરાના વેપારી ભરત શાહ, મહેન્દ્ર ગાંધી, રોહિત શાહ, યુવા ઉદ્યોગપતિ મૌલિક શાહ, નચિકેતા બ્રહ્મભટ્ટ, મનીષ અજમેરા, પંકજ હુંડિયા, સંજય શાહ જેવી અનેક મહાન હસ્તીઓ હાજર રહી હતી. રામનવમીના દિવસે સવા કલાકમાં ભગવાન રામનું ચિત્ર બનાવનાર ચિત્રકારની આ તસવીર નિર્દોષ જીવોની સુરક્ષા માટે 5 લાખ 51 હજાર રૂપિયા ખર્ચનાર ભરત કોઠારી પરિવારને સંગીતનાં મધુર ધ્વનિ સાથે આ ચિત્ર અર્પણ કરવામાં આવ્યું હતું

3 કલાકના આ કાર્યક્રમમાં પ્લેબેક સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર રવિ જૈને ભક્તિમય ગીતોથી વાતાવરણને મંત્રમુગ્ધ કરી દીધું હતું.

Related posts

૧૩ વર્ષની બાળા એ રામ મંદિર નિર્માણ માટે બચત માંથી આપ્યા ૧૫૧રૂપિયા

Ahmedabad Samay

BJP સંગઠનાત્મક માળખાને વેગ આપવા માટે વિવિધ પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની મહત્વની નિમણૂંક કરવામાં આવી

Ahmedabad Samay

વડાપ્રધાન  શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે ભાવનગરમાં, અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ  કર્યુ

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાતથી અમેરીકા જતા ગુમ થયેલા 9 લોકોના મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

દેશી દારૂના ધંધાર્થીઓને દરોડા પાડીને જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 6 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી

Ahmedabad Samay

ગાંધીનગર મહાનગર પાલિકા માટે કોંગ્રેસે વહ્યું રચના બનાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો