March 26, 2026
અપરાધ

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા વધુ ૩ અસામાજિક તત્ત્વો ઝડપાયા,જેમાં ૪ના મકાન પર બુલડોઝર ફરશે

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા વધુ ૩ અસામાજિક તત્ત્વો ઝડપાયા છે. જેમાં ૪ના મકાન પર બુલડોઝર ફરશે. હોળીના દિવસે વસ્ત્રાલમાં ૨૫થી વઘુ શખસોએ હાથમા ખુલ્લી તલવારો, છરી અને પાઇપ જેવા હથિયારો સાથે આખા વિસ્તારને બાનમાં લઇને રાહદારીઓને ઉભા રાખીને તલવાર અને છરી ઘા મારીને તેમના વાહનોની તોડફોડ કરી હતી.

આ તમામ અસામાજિક તત્ત્વો આ રીતે પોતાની ધાક જમાવવા માટે આતંક મચાવતા હતાં. આ કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે અને ચાર જેટલાં આરોપીના ગેરકાયદે ઘર પર બુલડોઝર ફેરવશે. વસ્ત્રાલમાં આતંક મચાવાના લુખ્ખાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસે આરોપીઓને જાહેરમાં સરભરા કરીને કાયદાનું ભાન કરાવ્યું હતુ. બાદમાં સાત આરોપીના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ અંગે વધુ ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. આ સિવાય ફરાર મુખ્ય આરોપીને પકડવા માટે ટીમ બનાવી શોધખોળ શરૃ કરી છે. આ સિવાય પોલીસે છસ્ઝ્ર તમામ આરોપીના ઘરની વિગતનો રિપોર્ટ આપ્યો છે. જ્યારે અન્ય ચાર જેટલા આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવશે.

Related posts

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પી.આઇ પર એક શખ્સે હાથ ઉપાડ્યો

Ahmedabad Samay

સુરેન્દ્રનગરના દરજી પરિવારના 3 સભ્ય, પતિ, પત્ની અને પુત્રીનાં રાજપર પાસેની કૅનાલમાંથી મૃતદેહ મળી આવતા શોકની લાગણી ફેલાઈ

Ahmedabad Samay

બાકીની રકમ માંગતા ગેરેજ માલિક ને ઈસમોએ મારમારી ગાડીના કાંચ તોડ્યા

Ahmedabad Samay

ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતના બનાવ પર આખરે ન્યાય મળ્યો

Ahmedabad Samay

ખૂનની કોશીષ તથા મારામારીના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ફેઝલખાન ઉર્ફે પઠાણની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

પાલડી વિસ્તારમાં જાહેરમાં થયેલ હત્યા કેસમાં પોલીસે આ ઘટનામાં  7 આરોપીઓની અટકાયત કરી છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો