બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરાયું,ઓપરેશન સિંદૂર અંતર્ગત ભાજપ દ્વારા દેશભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી જે, અંતર્ગત આજ રોજ બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા યોજી દેશ ની સેના નું મનોબળ વધારવામાં આવ્યુ.
બાપુનગર ભાજપ ના મા.ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ સાથે સ્થાનિક કાઉન્સિલર, મહિલા મોરચાની ટીમ ની મહિલાઓ, યુવા મોરચાના યુવા કાર્યકરો સહીત, ભાજપ ના અગ્રણી હોદ્દેદારો, કાર્યકરો , મહાનુભાવો, સ્થાનિક વેપારીઓ, સ્થાનિક રહીશો આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યા અને જાહેર જનતા પણ આ તિરંગા યાત્રામાં જોડાઈ.
