July 28, 2026
ગુજરાત

મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર પંકજ ધીરનું અવસાન

ટીવી ઇન્‍ડસ્‍ટ્રીમાંથી અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. તેમણે બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવી હતી. તેમના નજીકના મિત્ર અમિત બહલે અભિનેતાના અવસાનના સમાચારની પુષ્ટિ કરી.

એકંદરે, પંકજના અચાનક અવસાનને ઉદ્યોગ માટે મોટો આઘાત માનવામાં આવી રહ્યો છે. તેમનો પરિવાર અને મિત્રો ઊંડા શોકમાં છે, અને ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

CINTAA ના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી પંકજ ધીરના અવસાનની વ્‍યાપક ચર્ચા થઈ રહી છે. તેમના અંતિમ સંસ્‍કાર આજે સાંજે ૪:૩૦ વાગ્‍યે પヘમિ મુંબઈના વિલે પાર્લે, પવન હંસ નજીક કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પંકજ કેન્‍સર સામે લડ્‍યા હતા અને તેમણે આ જંગ જીતી લીધો હતો. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં તેમનું કેન્‍સર પાછું આવ્‍યું. અભિનેતા ગંભીર સ્‍થિતિમાં હતા. બીમારીને કારણે તેમનું મોટી સર્જરી પણ થઈ હતી, પરંતુ પંકજને બચાવી શકાયો ન હતો. પંકજના મળત્‍યુના સમાચારથી સોશિયલ મીડિયા પર ટીવી ઇન્‍ડસ્‍ટ્રીમાં શોક ફેલાયો છે. ચાહકો પણ દુઃખી છે. ચાહકો અને સેલિબ્રિટીઓ આંસુભરી આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Related posts

લોકડાઉન ૪.૦ આવું હશે.

Ahmedabad Samay

લવજેહાદ અંગેનો કાયદો ગુજરાત વિધાનસભામાં આજે પસાર

Ahmedabad Samay

લક્ષ્મી વિલા સ્કાય સિટીમાં દશહેરા નિમિતે સંપૂર્ણ દિવસ માટે યોજાયો ફાફડા જલેબીનો પ્રોગ્રામ

Ahmedabad Samay

અન્ય રાજ્યમાં ફસાયેલા લોકોને પરત લાવવાની કાર્યવાહી હાથ ધરી.

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના બાદ 7 ગુજરાતીઓના મૃતદેહ અમદાવાદ લવાયા, વતનમાં થશે અંતિમ વિધી

Ahmedabad Samay

કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્‍ટ લગભગ ‘અજેય’ છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો