June 23, 2026
ટ્રેન
Other

વિધર્મીય યુવકે ટ્રેનમાં સિગારેટ પી જાણી જોઈને છોકરીઓ તરફ ધુમાડો છોડી યુવતીની કરી છેડતી, સ્ટેશન પર સર્જાયો કોમી તણાવ

ગુજરાતના દાહોદથી ઉજ્જૈન જઈ રહેલા પરિવાર પર ટ્રેનમાં હુમલો કરવામાં આવ્‍યો હોવાની ઘટનાથી તણાવ નિરનાં થયો છે. રતલામ અને ખાચરોડ વચ્‍ચે આ ઘટના બની હોવાના અહેવાલ છે. કેટલાક યુવાનો નાગદા જઈ રહ્યા હોવાનું કહીંને રતલામ સ્‍ટેશનથી ટ્રેનમાં ચઢ્‍યા હતા. પરિવાર અસ્‍થિવિસર્જન માટે ઉજ્જૈન જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની. આ આરોપી યુવકોમાંથી એક મુસ્‍લિમ પુરુષે, પીડિત પરિવારની એક છોકરીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારે આ વાતનો વિરોધ કર્યા બાદ આ વિવાદ થયો હોવાનું કહેવાય છે.

પીડિત પરિવારનો આરોપ છે કે જેમ જેમ વિવાદ વધતો ગયો તેમ તેમ ખાચરોડ સ્‍ટેશન પરથી મુસ્‍લિમ સમુદાયના વધુ સભ્‍યોને બોલાવવામાં આવ્‍યા. તે બાદ ૫૦ થી ૬૦ લોકો ટ્રેનમાં ચઢી ગયા અને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત આખા પરિવાર પર હુમલો કર્યો. ઘટના પછી પીડિત પરિવાર ગભરાઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં જ નાગદા રેલવે સ્‍ટેશન પર હિન્‍દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્‍યામાં પહોંચ્‍યા. આ દરમિયાન, મુસ્‍લિમ સમુદાયના લોકો પણ મોટી સંખ્‍યામાં સ્‍ટેશન પર ભેગા થયા. પરિસ્‍થિતિ વધુ વણસી રહી હતી, તેથી પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો. પરિસ્‍થિતિને કાબૂમાં લેવા માટે નાગદામાં ભારે પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.

પીડિત પરિવારની એક મહિલાએ જણાવ્‍યું હતું કે આરોપી યુવક ટ્રેનમાં સિગારેટ પી રહ્યો હતો અને જાણી જોઈને છોકરીઓ તરફ ધુમાડો છોડી રહ્યો હતો. આ વાતનો જ્‍યારે તેઓએ વાંધો ઉઠાવ્‍યો, ત્‍યારે શરૂઆતમાં આરોપીએ તેની સાથે દુર્વ્‍યવહાર કર્યો અને પછી તેના હુમલો કર્યો.

રેલવે પોલીસ (જીઆરપી) પીડિતોના નિવેદનો નોંધી રહી છે અને કેસની આસપાસના તથ્‍યોની તપાસ કરી રહી છે. ઉજ્જૈન એસપી પ્રદીપ શર્મા નાગદા પહોંચ્‍યા અને અહેવાલ આપ્‍યો કે પરિસ્‍થિતિ હાલમાં નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે આ કેસ રતલામ જીઆરપી અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, પરંતુ નાગદામાં શૂન્‍ય એફઆઈઆર તરીકે નોંધવામાં આવ્‍યો છે. પોલીસ સમગ્ર ઘટના પર નજર રાખી રહી છે.

હિન્‍દુ સંગઠનનું પ્રતિનિધિત્‍વ કરતા રોશન શુક્‍લાએ જણાવ્‍યું હતું કે કોઈએ તેમને ટ્રેનમાંથી ફોન કરીને જાણ કરી હતી કે કેટલાક લોકો હિન્‍દુઓ પર હુમલો કરી રહ્યા છે. તેઓ મદદ કરવા માટે નાગદા પ્‍લેટફોર્મ પર પહોંચ્‍યા, જ્‍યાં અમજદ લાલા સહિત મોટી સંખ્‍યામાં મુસ્‍લિમ સમુદાયના લોકો હાજર હતા. તે દરમિયાન હિન્‍દુ નેતાઓ સાથે દુર્વ્‍યવહાર કરવામાં આવ્‍યો. રોશન શુક્‍લાની ફરિયાદના આધારે અમજદ લાલા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્‍યો છે અને અમજદ લાલાએ હિન્‍દુ નેતા વિરુદ્ધ ક્રોસ-કેસ પણ દાખલ કરાવ્‍યો.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ 6ઠ્ઠી U20 સાયકલ માટેની U20 મેયોરલ સમિટ 7 થી 8 જૂલાઈએ યોજાશે

Ahmedabad Samay

પોલીસ વિભાગ તરફથી જે.ડી.નાગરવાલા સ્ટેડિયમ ખાતે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

ધ ગ્રેટ ખલી જોડાયા ઉત્તરભારતીય વિકાસ પરિસદમાં અન્ય લોકોને પણ મોટા પ્રમાણમાં જોડાવા અપીલ કરી

Ahmedabad Samay

લ્યો બોલો નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી

Ahmedabad Samay

નવી સોલિડ-સ્ટેટ બેટરી ટેકનોલોજીથી ઇલેક્ટ્રિક કારની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે, બેટરી માત્ર પાંચ મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકશે

Ahmedabad Samay

વિવાદો વચ્ચે શ્રી પરસોત્તમ રૂપાલાએ આજથી રાજકોટમાં ચૂંટણી પ્રચાર ફરી શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો