May 8, 2026
ટ્રેન
Other

વિધર્મીય યુવકે ટ્રેનમાં સિગારેટ પી જાણી જોઈને છોકરીઓ તરફ ધુમાડો છોડી યુવતીની કરી છેડતી, સ્ટેશન પર સર્જાયો કોમી તણાવ

ગુજરાતના દાહોદથી ઉજ્જૈન જઈ રહેલા પરિવાર પર ટ્રેનમાં હુમલો કરવામાં આવ્‍યો હોવાની ઘટનાથી તણાવ નિરનાં થયો છે. રતલામ અને ખાચરોડ વચ્‍ચે આ ઘટના બની હોવાના અહેવાલ છે. કેટલાક યુવાનો નાગદા જઈ રહ્યા હોવાનું કહીંને રતલામ સ્‍ટેશનથી ટ્રેનમાં ચઢ્‍યા હતા. પરિવાર અસ્‍થિવિસર્જન માટે ઉજ્જૈન જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની. આ આરોપી યુવકોમાંથી એક મુસ્‍લિમ પુરુષે, પીડિત પરિવારની એક છોકરીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારે આ વાતનો વિરોધ કર્યા બાદ આ વિવાદ થયો હોવાનું કહેવાય છે.

પીડિત પરિવારનો આરોપ છે કે જેમ જેમ વિવાદ વધતો ગયો તેમ તેમ ખાચરોડ સ્‍ટેશન પરથી મુસ્‍લિમ સમુદાયના વધુ સભ્‍યોને બોલાવવામાં આવ્‍યા. તે બાદ ૫૦ થી ૬૦ લોકો ટ્રેનમાં ચઢી ગયા અને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત આખા પરિવાર પર હુમલો કર્યો. ઘટના પછી પીડિત પરિવાર ગભરાઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં જ નાગદા રેલવે સ્‍ટેશન પર હિન્‍દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્‍યામાં પહોંચ્‍યા. આ દરમિયાન, મુસ્‍લિમ સમુદાયના લોકો પણ મોટી સંખ્‍યામાં સ્‍ટેશન પર ભેગા થયા. પરિસ્‍થિતિ વધુ વણસી રહી હતી, તેથી પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો. પરિસ્‍થિતિને કાબૂમાં લેવા માટે નાગદામાં ભારે પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.

પીડિત પરિવારની એક મહિલાએ જણાવ્‍યું હતું કે આરોપી યુવક ટ્રેનમાં સિગારેટ પી રહ્યો હતો અને જાણી જોઈને છોકરીઓ તરફ ધુમાડો છોડી રહ્યો હતો. આ વાતનો જ્‍યારે તેઓએ વાંધો ઉઠાવ્‍યો, ત્‍યારે શરૂઆતમાં આરોપીએ તેની સાથે દુર્વ્‍યવહાર કર્યો અને પછી તેના હુમલો કર્યો.

રેલવે પોલીસ (જીઆરપી) પીડિતોના નિવેદનો નોંધી રહી છે અને કેસની આસપાસના તથ્‍યોની તપાસ કરી રહી છે. ઉજ્જૈન એસપી પ્રદીપ શર્મા નાગદા પહોંચ્‍યા અને અહેવાલ આપ્‍યો કે પરિસ્‍થિતિ હાલમાં નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે આ કેસ રતલામ જીઆરપી અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, પરંતુ નાગદામાં શૂન્‍ય એફઆઈઆર તરીકે નોંધવામાં આવ્‍યો છે. પોલીસ સમગ્ર ઘટના પર નજર રાખી રહી છે.

હિન્‍દુ સંગઠનનું પ્રતિનિધિત્‍વ કરતા રોશન શુક્‍લાએ જણાવ્‍યું હતું કે કોઈએ તેમને ટ્રેનમાંથી ફોન કરીને જાણ કરી હતી કે કેટલાક લોકો હિન્‍દુઓ પર હુમલો કરી રહ્યા છે. તેઓ મદદ કરવા માટે નાગદા પ્‍લેટફોર્મ પર પહોંચ્‍યા, જ્‍યાં અમજદ લાલા સહિત મોટી સંખ્‍યામાં મુસ્‍લિમ સમુદાયના લોકો હાજર હતા. તે દરમિયાન હિન્‍દુ નેતાઓ સાથે દુર્વ્‍યવહાર કરવામાં આવ્‍યો. રોશન શુક્‍લાની ફરિયાદના આધારે અમજદ લાલા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્‍યો છે અને અમજદ લાલાએ હિન્‍દુ નેતા વિરુદ્ધ ક્રોસ-કેસ પણ દાખલ કરાવ્‍યો.

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત અને અમદાવાદના અનેક કાર્યક્રમોમાં આપી હાજરી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા

Ahmedabad Samay

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ધાબળા વિતરણ કરવામાં આવ્યા

Ahmedabad Samay

PMOના ઉચ્‍ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરાઈ, જાણો મહાઠગની પૂર્ણ વિગત

Ahmedabad Samay

રાહુલ ગાંધીને દરેક વસ્તુનો વિરોધ કરવાની ટેવ પડી ગઈ છેઃ ગૃહમંત્રી અમિત શાહ

Ahmedabad Samay

રાજ્યમાં 8 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા –રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો