May 1, 2026
Other

અગ્રણી બેંકો અને કાર્ડ ઇશ્‍યુઅર્સ દ્વારા મફત લાઉન્‍જ એક્‍સેસના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્‍યા

જો તમે મુસાફરી દરમિયાન એરપોર્ટ લાઉન્‍જની સુવિધાઓનો મફત લાભ લેવા માટે તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર નિર્ભર છો, તો ૧ એપ્રિલથી અમલી બનનારા નવા નિયમો તમારા માટે જાણવા અત્‍યંત જરૂરી છે. ઘણી અગ્રણી બેંકો અને કાર્ડ ઇશ્‍યુઅર્સ દ્વારા મફત લાઉન્‍જ એક્‍સેસના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્‍યા છે. નવા નિયમ મુજબ, હવે ગ્રાહકોએ મફત લાઉન્‍જ સુવિધા મેળવવા માટે અગાઉના ત્રણ મહિનામાં (ક્‍વાર્ટરમાં) લઘુત્તમ ખર્ચની મર્યાદા પૂર્ણ કરવી પડશે.

અત્‍યાર સુધી મોટાભાગના પ્રીમિયમ કાર્ડ્‍સ પર કોઈપણ શરત વગર  સંખ્‍યામાં લાઉન્‍જ વિઝિટ મળતી હતી. જોકે, વધતી ભીડ અને ખર્ચને નિયંત્રિત કરવા માટે બેંકોએ હવે તેને ખર્ચ સાથે સાંકળી દીધું છે. દાખલા તરીકે, ૧ એપ્રિલ ૨૦૨૪ થી અમલી બનેલા નિયમો મુજબ, ICICI બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોએ અગાઉના કેલેન્‍ડર ક્‍વાર્ટરમાં ઓછામાં ઓછા ૩૫,૦૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો હશે તો જ તેઓ પછીના ક્‍વાર્ટરમાં એક મફત લાઉન્‍જ વિઝિટનો લાભ લઈ શકશે. તેવી જ રીતે, ડેબિટ કાર્ડ ધારકો માટે ૧૦,૦૦૦ રૂપિયાની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે.માત્ર એક બેંક નહીં, પરંતુ SBI કાર્ડ અને યસ બેંક (YES Bank) જેવી સંસ્‍થાઓએ પણ સમાન પ્રકારના ફેરફારો કર્યા છે. યસ બેંકના ગ્રાહકો માટે હવે પછીના ક્‍વાર્ટરમાં લાઉન્‍જ એક્‍સેસ મેળવવા માટે ચાલુ ક્‍વાર્ટરમાં ઓછામાં ઓછો ૧૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરવો ફરજિયાત બનશે. SBI કાર્ડ દ્વારા પણ અમુક ચોક્કસ કેટેગરીના કાર્ડ્‍સ પર રિવોર્ડ પોઈન્‍ટ્‍સ અને લાઉન્‍જ સુવિધામાં કાપ મૂકવામાં આવ્‍યો છે.

૧ એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં ગ્રાહકોએ તેમની મુસાફરીના આયોજન પહેલા કાર્ડના ‘નિયમો અને શરતો’ (T&C) તપાસવી પડશે. જો તમે અગાઉના ક્‍વાર્ટરમાં (જાન્‍યુઆરીથી માર્ચ) નક્કી કરેલી રકમનો ખર્ચ નહીં કર્યો હોય, તો એરપોર્ટ પર કાર્ડ સ્‍વાઇપ કરવા છતાં તમને મફત પ્રવેશ મળશે નહીં. આ ફેરફારનો હેતુ બેંકો માટે ઓપરેશનલ ખર્ચ ઘટાડવાનો અને માત્ર સક્રિય ગ્રાહકોને જ પ્રીમિયમ સુવિધાઓ આપવાનો છે.

નેશનલ પેમેન્‍ટ્‍સ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા (NPCI) દ્વારા પણ રૂપે પ્‍લેટિનમ ડેબિટ કાર્ડ્‍સ માટેના લાઉન્‍જ પ્રોગ્રામમાં ફેરફાર કરવામાં આવ્‍યા છે. હવે બેંકો પોતાની રીતે ખર્ચની મર્યાદા નક્કી કરી શકશે અથવા અમુક કાર્ડ્‍સ પરથી આ સુવિધા સંપૂર્ણપણે હટાવી પણ શકે છે. એરપોર્ટ પર છેલ્‍લી ઘડીએ થતી અસુવિધાથી બચવા માટે મુસાફરોને તેમના બેંક સ્‍ટેટમેન્‍ટ અથવા મોબાઈલ એપ દ્વારા ખર્ચની વિગતો ચકાસી લેવા સલાહ આપવામાં આવે છે.

Related posts

GIFA ૨૦૨૩ નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે ઉજવાયો

Ahmedabad Samay

સતત વધતી જતી મોંઘવારીને સરકાર નિયંત્રિત કરવામાં નિષ્‍ફળતાને કારણે મહિલાઓ માટે તેમનું ઘર ચલાવવાનું મુશ્‍કેલ બન્‍યું:જેનીબેન ઠુમર

Ahmedabad Samay

નિકોલ એસપી રિંગરોડ પર વધુ એક સર્કલ બનાવાની કામગીરી શરૂ

Ahmedabad Samay

એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર (EMRC), ગુજરાત યુનિવર્સિટી દ્વારા “ડીઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડીજીટલ કન્ટેન્ટ” વિષય પર નેશનલ સેમીનાર યોજાયો

Ahmedabad Samay

વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા પરિવાર નું નામકરણ બદલવાના બદલે ઉગ્ર વિરોધ કરાશે

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં અમદાવાદના રીક્ષા ચાલકો મદદે આવ્યા સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો