સરહદ પર ભારતે ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. હવે આર્થિક મોર્ચે પણ ચીનને તેની હરકતોની સજા આપવાની શરૂઆત થઈ ગઈ છે. ભારત સરકારે સરકારી ટેલિકોમ કંપનીઓને કોઈ પણ ચાઈનીઝ કંપનનીના ઈક્વિપમેન્ટનો ઉપયોગ ન કરવા જણાવ્યુ છે.
ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ)ના ટેન્ડરને રદ્દ કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રાઈવેટ મોબાઈલ ફોન ઓપરેટર્સ માટે પણ હુવાઈ અને ઝેડટીઈ જેવા ચીની બ્રાન્ડથી દૂર રહેવાના નિયમ બનાવી શકાય છે. બીએસએનએલ અને એમટીએનએલને તેના ટેન્ડરમાં ફેરફાર કરવા જણાવવામાં આવ્યું છે. આ આદેશથી હુવાઈ અને ઝેડટીઆના વેપાર પર ભારે અસર પડશે. ભારતીય ટેલિકોમ ઈક્વિપમેન્ટનું એન્યુઅલ માર્કેટ ૧૨,૦૦૦ કરોડ રૂપિયા છે. તેમાંથી એક ચતુર્થાંશ ભાગ પર ચીનનો કબજો છે. બાકીનામાં સ્વિડનની એરિક્સન, ફિનલેન્ડની નોકિયા અને દક્ષિણ કોરિયાની સેમસંગ કંપનીનો સમાવેશ થાય છે.
