March 27, 2026
ગુજરાત

અમદાવાદમાં મૃત્યુ દર ઘટ્યું, સંક્રમણ ની સંખ્યા ૨૦૦ સુધી પહોંચી

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે. આમ છતાં કેસો સતત ઘટી રહ્યાં છે. જુલાઈ મહિનાના પ્રથમ 6 દિવસોમાંથી 4 દિવસ કોરોનાના નવા કેસો 200થી નીચે રહ્યાં છે. આ સાથે જ શહેરમાં મૃત્યુઆંક પણ ઘટ્યો છે

અમદાવાદમાં સોમવારે નવા સામે આવેલા 183 કેસોમાંથી 168 કેસ શહેરમાંથી મળી આવ્યા છે, જ્યારે અન્ય 15 કેસ જિલ્લામાંથી નોંધાયા છે. અગાઉ રવિવારે પણ અમદાવાદમાં કોરોનાના નવા 177 કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. જ્યારે એ દિવસે વધુ 8 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

 રાજ્યમાં અનલૉકના બીજા તબક્કામાં પણ દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં 735 નવા કેસો સામે આવ્યા હતા, જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. આ સતત ત્રીજો દિવસ છે, જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા 700થી વધુ રહ્યું છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 36858 પર પહોંચી ચૂકી છે

Related posts

અમદાવાદ – માધુપુરા વિસ્તારમાં મોડી રાત્રે યુવકની હત્યા, પોલીસે તેજ કરી તપાસ

Ahmedabad Samay

બ્રિટન: એક ગ્રાહક માત્ર બે ટામેટાં અને બે કાકડી જ ખરીદી શકશે, શાકભાજી પર લાગી લિમિટ

Ahmedabad Samay

RTE ફ્રી શાળા પ્રવેશની જાહેરાત થઇ ચુકી છે. મેળવો સંપૂર્ણ માહિતી

Ahmedabad Samay

ઠેબી ડેમથી કામનાથ મહાદેવ મંદિર સુધી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને ચર્ચા

Ahmedabad Samay

આજથી ૫૦ વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રૂપને સોંપાયું

Ahmedabad Samay

કરણી સેના દ્વારા લૂઆરા ગામ ની ઘટના અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેક્ટર અને મામલતદાર શ્રી ને આવેદન પત્ર અપાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો