February 6, 2026
ગુજરાતઅપરાધ

નરોડા વિસ્તારમાં આવેલી આત્મિય હોસ્પિટલ થયું સીલ, હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવતા

અમદાવાદ કોર્પોરેશન ઉત્તર ઝોનના નરોડા વિસ્તારમાં આવેલી આત્મિય હોસ્પિટલ  કોરોનાના દર્દી દાખલ કરવામાં આવે છે. તે પ્રકારની માહિતી મળતા એએમસી આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે અનુસંધાને આસી. પ્રોફેસર દ્વારા તે સમય દરમિયાન કુલ 13 દર્દી દાખલ હોવાનું જણાવેલું. તેમજ હોસ્પિટલને એએમસી દ્વારા કોવિડ -19 હોસ્પિટલ તરીકે ડેઝીગ્નેટ કરવામાં આવેલા ન હોવા છતા દર્દીઓને હાઇ રીઝોલ્યુશન કોમ્પ્યુટરાઇઝ ટોમોગ્રાફિ ટેસ્ટના આધારે દાખલ કરતા પુરાવા મળી આવેલ.

તેમજ જે તે દર્દી ટ્રીટમેન્ટ શીટ પર ચકાસણી કરતા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન આપવું સ્પષ્ટ જણાવેલ હતું. તેમજ હોસ્પિટલને જે ફોર્મ સી આપવામાં આવેલું તેમાં 6 બેડ સુધીની માન્યતા આપવામાં આવેલી છે. તેમ છતા હોસ્પિટલ દ્વારા ફોર્મ સીમાં નોંધણી કરવામાં આવેલા બેડની ક્ષમતા કરતા વધુ બેડ ઉપર દર્દીઓને દાખલ કરવામાં આવેલ હતા . અમદાવાદ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરતા કલીનીકને સીલ કરવામાં આવેલ છે. તેમજ પોલીસ કાર્યવાહીની પણ હાથ ધરેલ છે.

Related posts

અમદાવાદમાં મિત્રતા કેળવી લોકો સાથે 19.49 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

ભારત ના પ્રથમ મહિલા જાદુગર મેરીગોલ્ડ મંદાકિની મહેતાજી એ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યુ

Ahmedabad Samay

નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ ,હુમલાને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

Ahmedabad Samay

અમદાવાદ: તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપશે, જાણો કેવી રીતે થશે આયોજન?

Ahmedabad Samay

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના કેસો વધ્યા, એક જ સપ્તાહમાં 2300થી વધુ કેસો

Ahmedabad Samay

ગ્રામ્ય પોલીસ વિરમગામ વિભાગ દ્વારા પીએસઆઇ અને કોન્સ્ટેબલની તૈયારી માટે માર્ગદર્શન અપાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો