May 9, 2026
ગુજરાતરાજકારણ

અનિલ રાજપૂતના ફેક પત્રને લઇ ખળભળાટ, કોંગ્રેસ નેતા અનિલ રાજપુતે કરી સ્પષ્ટતા

અનિલ રાજપૂતનો ફેક લેટર જાહેર થતા કોંગ્રેસમાં અને રાજ્યમાં ખળભળાટ મચીજવા પામી છે, કોંગ્રેસના નેતા અનિલ રાજપુતનો ૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને લખેલા પત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો ઉમેદવારો પાસેથી પૈસા લઈને ટિકીટ અપાવી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો છે . પત્રમાં કોંગ્રેસના જ એક ટોચના નેતા પર આક્ષેપ કરાયો છે કે , શહેરના એક મંત્રીને પૈસા લઈને ટિકિટ માટે મંજૂરી આપવામાં આવી રહી છે , આ એ જ વ્યક્તિ છે જે પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સાથે મળીને ટિકિટો વેચવાનો ધમધોકાર ધંધો ચલાવી રહ્યા છે .

પત્રમાં વધુ લખ્યું છે કે સભ્ય અને તેના મળતિયા અમદાવાદ શહેરના કેટલાક વોર્ડની ટિકિટો ત્રણ લાખથી માંડીને આઠ લાખ રૂપિયામાં રીતસર વેચી રહ્યા છે . પત્રમાં કહેવાયું છે કે , ખરેખર કામ કરનારા લોકોને ન્યાય નહિ મળે તો તેની સંપૂર્ણ માહિતી કોંગ્રેસ હાઈકમાન્ડને સુપરત કરવામાં આવશે .

જોકે આ અંગે અનિલ રાજપુતે અમદાવાદ સમય સાથે વાત કરતા ખુલ્લાંસો કર્યો છે કે  આવો કોઈ લેટર લખ્યો નથી અને મારા નામે કોઈ ત્રાહિત વ્યક્તિએ આ લેટર લખ્યો છે . જેને પણ આ લખ્યો હોય તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે . હિંમતસિંહ પટેલને આદર્શ નેતા માનું છે . લેટર પર તેઓ કાયદેસરની કાર્યવાહી કરે . મને બદનામ કરવા માટે મારા વિરોધીઓ એ લેટર લખ્યો છે .

 

Related posts

ભાજપના સ્થાપના દિને અમિત શાહ આવશે ગુજરાત, મત વિસ્તારમાં સમીક્ષા બેઠક કરશે

Ahmedabad Samay

મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પહોંચીને જૂનાગઢની વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો

Ahmedabad Samay

સુરતમાં ડાયમંડ બુર્સ તૈયાર, પીએમ મોદી કરશે ઉદઘાટન, મોટી સંખ્યામાં વેપારીઓનો શરુ થશે કારોબાર

Ahmedabad Samay

ભાજપ એક્શન મોડમાં આવી છે વિધાનસભા દીઠ પ્રભારી અને સંયોજકની નિમણુંક કરાઈ

Ahmedabad Samay

ભાગેડુ લગ્ન/લવ મેરેજ નોંધણીમાં માતાપિતાની ભૂમિકા પણ મહત્‍વની બનાવાશે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના અપીલ અંતર્ગત વધુ એક શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો