June 22, 2026
ગુજરાતદેશ

આ વર્ષે નાતાલ સુધી તમામ તહેવારો નહી ઉજવાય, ધંધાધારીઓ ને મોટો ફટકો

જૂન મહિનામાં રથયાત્રા ના ઉત્સવ પછી પાંચ જુલાઇએ ગુરુ પૂર્ણિમાની આવે છે જેમાં હજારો ભકતો તેમના ગુરુના દર્શન કરીને દક્ષિણામાં મોંઘી  ભેટ સોગાદો આપતા હોય છે પરંતુ આ વખતે કોઈ પણ તહેવાર આવી રીતે ઉજવાય તેવું શકય નહીં.

૩ ઓગસ્ટે રક્ષાબંધન.

૧૧ ઓગસ્ટે જન્માષ્ટિમ.

૧૭ ઓગસ્ટે પારસીનું નવું વર્ષ.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ રોજી  વર્ષ દરમ્યાન ગણેશ ઉત્સવમાં મુર્તિકરો ને થતી હોય છે.

આ વર્ષે ગણપતિના મંડળ, મોટી મૂર્તિઓના જાહેર દર્શન અને  વિસર્જન અંગે પ્રતિકાત્મક જ પ્રયોજન હાથ ધરાય તેમ છે. ગણપતિની મૂર્તિ બનાવનાર  કારીગરો લોકડાઉન ના કારણે હાલ તેમના વતન પહોંચી ગયા છે. તેવી જ રીતે નવરાત્રિના  ગરબાનું આયોજન, કલાકારો, પાર્ટી પ્લોટ, ડેકોરેશનનું બુકિંગ જન્માષ્ટમી પછી તરત શરૂ થઇ જતું હોય છે. પ્રથમ નવરાત્રિ ૧૭ ઓકટોબરની છે. ૨૬  ઓકટોબરે દશેરા છે. નવ દિવસ ચાલતા આ તહેવાર જ હજારો નાગરિકો, ગરબા કરનારાઓને નજીકના સંપર્કમાં લાવે છે. અને કોરોનાને જોતા મોટા આયોજનો તો શકય જ નથી કે જયાં એક એક પ્લોટ કે કલબમાં સ્હેજે રૂ. ૫૦-૫૦ લાખના પ્લાન હોય છે. તે પછી દિવાળી ૧૪ નવેમ્બરે છે.

કોરાના માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવો પણ ભય વ્યકત કર્યો છે કે એક વખત નિયંત્રણમાં આવે તો પણ તેનો બીજો રાઉન્ડ આવી શકે છે. તે જોતા નવરાત્રિ, દિવાળી સુધીમાં ઝીરો કેસ હશે તો  પણ સરકાર કે નાગરિકો ચાન્સ નહીં લે. ઘણા તહેવાર ઉજવવા બે-ત્રણ મહિના પહેલા બુકિંગ આયોજન, પેમેન્ટ કરવું પડતું હોય છે. હાલ તો બીજા ત્રણ મહિના અનિર્ણાયક સ્થિતિ જ રહેવાની. તહેવારોમાં મીઠાઇ, રેસ્ટોરા, હોસ્પિટાલિટી, ડેકોરેશન, ગરબા, ફટાકડા, કપડાં, પ્રવાસો, ભેટ સોગાદ, ગેજેટસ, ઘરના રીનોવેશન તેમજ કાર, મકાનની ખરીદી થતી હોય છે જે બધા બિઝનેસને મોટો ફટકો પડશે. દિવાળી બાદ નાતાલ પણ સુની સુની રહેશે.

Related posts

બાંગ્લાદેશમાં હિન્દૂ યુવાન પર થયેલા અત્યાચારની આગ દિલ્હી થી કોલકત્તા અને સમગ્ર ભારતમાં ભડકી

Ahmedabad Samay

અમદાવાદ: બિસ્માર ચાંદલોડિયા બ્રિજ નીચે લોખંડના ટેકા મૂકાયા, રાહદારીઓમાં ભયનો માહોલ!

admin

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું, અત્યંત ભારે વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓ સાથે થઇ વર્લ્ડ રોઝ ડેની ઉજવણી કરાઇ

Ahmedabad Samay

બાપુનગરના શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

Ahmedabad Samay

બજરંગ દળ હિંદની અસારવા વિસ્તારમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો