જૂન મહિનામાં રથયાત્રા ના ઉત્સવ પછી પાંચ જુલાઇએ ગુરુ પૂર્ણિમાની આવે છે જેમાં હજારો ભકતો તેમના ગુરુના દર્શન કરીને દક્ષિણામાં મોંઘી ભેટ સોગાદો આપતા હોય છે પરંતુ આ વખતે કોઈ પણ તહેવાર આવી રીતે ઉજવાય તેવું શકય નહીં.
૩ ઓગસ્ટે રક્ષાબંધન.
૧૧ ઓગસ્ટે જન્માષ્ટિમ.
૧૭ ઓગસ્ટે પારસીનું નવું વર્ષ.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ રોજી વર્ષ દરમ્યાન ગણેશ ઉત્સવમાં મુર્તિકરો ને થતી હોય છે.
આ વર્ષે ગણપતિના મંડળ, મોટી મૂર્તિઓના જાહેર દર્શન અને વિસર્જન અંગે પ્રતિકાત્મક જ પ્રયોજન હાથ ધરાય તેમ છે. ગણપતિની મૂર્તિ બનાવનાર કારીગરો લોકડાઉન ના કારણે હાલ તેમના વતન પહોંચી ગયા છે. તેવી જ રીતે નવરાત્રિના ગરબાનું આયોજન, કલાકારો, પાર્ટી પ્લોટ, ડેકોરેશનનું બુકિંગ જન્માષ્ટમી પછી તરત શરૂ થઇ જતું હોય છે. પ્રથમ નવરાત્રિ ૧૭ ઓકટોબરની છે. ૨૬ ઓકટોબરે દશેરા છે. નવ દિવસ ચાલતા આ તહેવાર જ હજારો નાગરિકો, ગરબા કરનારાઓને નજીકના સંપર્કમાં લાવે છે. અને કોરોનાને જોતા મોટા આયોજનો તો શકય જ નથી કે જયાં એક એક પ્લોટ કે કલબમાં સ્હેજે રૂ. ૫૦-૫૦ લાખના પ્લાન હોય છે. તે પછી દિવાળી ૧૪ નવેમ્બરે છે.
કોરાના માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવો પણ ભય વ્યકત કર્યો છે કે એક વખત નિયંત્રણમાં આવે તો પણ તેનો બીજો રાઉન્ડ આવી શકે છે. તે જોતા નવરાત્રિ, દિવાળી સુધીમાં ઝીરો કેસ હશે તો પણ સરકાર કે નાગરિકો ચાન્સ નહીં લે. ઘણા તહેવાર ઉજવવા બે-ત્રણ મહિના પહેલા બુકિંગ આયોજન, પેમેન્ટ કરવું પડતું હોય છે. હાલ તો બીજા ત્રણ મહિના અનિર્ણાયક સ્થિતિ જ રહેવાની. તહેવારોમાં મીઠાઇ, રેસ્ટોરા, હોસ્પિટાલિટી, ડેકોરેશન, ગરબા, ફટાકડા, કપડાં, પ્રવાસો, ભેટ સોગાદ, ગેજેટસ, ઘરના રીનોવેશન તેમજ કાર, મકાનની ખરીદી થતી હોય છે જે બધા બિઝનેસને મોટો ફટકો પડશે. દિવાળી બાદ નાતાલ પણ સુની સુની રહેશે.
