March 23, 2026
ગુજરાતદેશ

આ વર્ષે નાતાલ સુધી તમામ તહેવારો નહી ઉજવાય, ધંધાધારીઓ ને મોટો ફટકો

જૂન મહિનામાં રથયાત્રા ના ઉત્સવ પછી પાંચ જુલાઇએ ગુરુ પૂર્ણિમાની આવે છે જેમાં હજારો ભકતો તેમના ગુરુના દર્શન કરીને દક્ષિણામાં મોંઘી  ભેટ સોગાદો આપતા હોય છે પરંતુ આ વખતે કોઈ પણ તહેવાર આવી રીતે ઉજવાય તેવું શકય નહીં.

૩ ઓગસ્ટે રક્ષાબંધન.

૧૧ ઓગસ્ટે જન્માષ્ટિમ.

૧૭ ઓગસ્ટે પારસીનું નવું વર્ષ.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ રોજી  વર્ષ દરમ્યાન ગણેશ ઉત્સવમાં મુર્તિકરો ને થતી હોય છે.

આ વર્ષે ગણપતિના મંડળ, મોટી મૂર્તિઓના જાહેર દર્શન અને  વિસર્જન અંગે પ્રતિકાત્મક જ પ્રયોજન હાથ ધરાય તેમ છે. ગણપતિની મૂર્તિ બનાવનાર  કારીગરો લોકડાઉન ના કારણે હાલ તેમના વતન પહોંચી ગયા છે. તેવી જ રીતે નવરાત્રિના  ગરબાનું આયોજન, કલાકારો, પાર્ટી પ્લોટ, ડેકોરેશનનું બુકિંગ જન્માષ્ટમી પછી તરત શરૂ થઇ જતું હોય છે. પ્રથમ નવરાત્રિ ૧૭ ઓકટોબરની છે. ૨૬  ઓકટોબરે દશેરા છે. નવ દિવસ ચાલતા આ તહેવાર જ હજારો નાગરિકો, ગરબા કરનારાઓને નજીકના સંપર્કમાં લાવે છે. અને કોરોનાને જોતા મોટા આયોજનો તો શકય જ નથી કે જયાં એક એક પ્લોટ કે કલબમાં સ્હેજે રૂ. ૫૦-૫૦ લાખના પ્લાન હોય છે. તે પછી દિવાળી ૧૪ નવેમ્બરે છે.

કોરાના માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવો પણ ભય વ્યકત કર્યો છે કે એક વખત નિયંત્રણમાં આવે તો પણ તેનો બીજો રાઉન્ડ આવી શકે છે. તે જોતા નવરાત્રિ, દિવાળી સુધીમાં ઝીરો કેસ હશે તો  પણ સરકાર કે નાગરિકો ચાન્સ નહીં લે. ઘણા તહેવાર ઉજવવા બે-ત્રણ મહિના પહેલા બુકિંગ આયોજન, પેમેન્ટ કરવું પડતું હોય છે. હાલ તો બીજા ત્રણ મહિના અનિર્ણાયક સ્થિતિ જ રહેવાની. તહેવારોમાં મીઠાઇ, રેસ્ટોરા, હોસ્પિટાલિટી, ડેકોરેશન, ગરબા, ફટાકડા, કપડાં, પ્રવાસો, ભેટ સોગાદ, ગેજેટસ, ઘરના રીનોવેશન તેમજ કાર, મકાનની ખરીદી થતી હોય છે જે બધા બિઝનેસને મોટો ફટકો પડશે. દિવાળી બાદ નાતાલ પણ સુની સુની રહેશે.

Related posts

કેદારનાથ : હેલિકોપ્‍ટર ક્રેશ ની મોટી દુર્ઘટના બની, દુર્ઘટનામાં ભાવનગરની ૩ યુવતીઓ સહિત ૭ ના મોત

Ahmedabad Samay

૩૧ ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી ઉજવણી રદ્દ કરવાનો આદેશ પોલીસે આપ્યો

Ahmedabad Samay

સિનિયર મોસ્ટ IAS ગુરૂપ્રસાદ મોહપાત્રનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

અમદાવાદમાં દારૂના વેચાણ કરવામાં વધુ એક વિસ્તારનો થયો ઉમેરો,અડ્ડાનું સ્થળ જોઈ મોટો હપ્તો હશે

Ahmedabad Samay

સરકારી પ્રિમાઇસીસ બાદ ખાનગી પ્રિમાઇસીસમાં પણ કોરોનાની રસી લીધા વિના એન્ટ્રી પ્રતિબંધિત કરી દેવાનો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લેવાયો નિર્ણય કરાયો

Ahmedabad Samay

પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો